સુરત : પોલીસ દ્વારા આરોપીઓના કાઢવામાં આવતા સરઘસ મામલે હ્યુમન રાઈટ કમિશનમાં પિટિશન દાખલ કરાઈ

સુરત પોલીસ દ્વારા ગુનાહિત કૃત્યમાં ધરપકડ કર્યા બાદ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે છે,જે ઘટના સામે હ્યુમન રાઈટ કમિશનના એડવોકેટ આર.બી.મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.

New Update
  • આરોપીઓનું સરઘસ પોલીસ માટે બન્યું વિવાદનું કારણ

  • માનવ અધિકાર પંચમાં પિટિશન કરાઈ દાખલ

  • એડવોકેટ દ્વારા પોલીસની કાર્યવાહીને પડકારવામાં આવી

  • પોલીસ કમિશનર 30 દિવસમાં રજૂ કરશે જવાબ 

  • આરોપીનું સરઘસ કાઢવા કાયદાથી વિરુદ્ધની કાર્યવાહી

Advertisment

સુરત પોલીસ દ્વારા ગુનાહિત કૃત્યમાં ધરપકડ કર્યા બાદ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે છે,જે ઘટના સામે હ્યુમન રાઈટ કમિશનના એડવોકેટ આર.બી.મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.અને પોલીસને કાયદાની આંટીમાં લીધી છે.

સુરતમાં પોલીસ તંત્ર દ્વારા ગુન્હાહિત કૃત્ય આચરતા આરોપીઓનો જાહેરમાં સરઘસ (વરઘોડો) કાઢવામાં આવે છે,અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે,પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવતી સરઘસની કાર્યવાહી કેટલી યોગ્ય છે,તે અંગે પ્રશ્ન ઉઠવા પામ્યો છે,અને હ્યુમન રાઈટ કમિશનના એડવોકેટ આર.બી.મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં પોલીસની આરોપી સામે કરવામાં આવતી સરઘસની કામગીરી કેટલી યોગ્ય છે,તે અંગે પિટિશન દાખલ કરવામાં આવી છે.અને માનવ અધિકાર પંચ દ્વારા સુરત પોલીસ કમિશનર પાસે આ અંગેનો 30 દિવસમાં જવાબ પણ માંગવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓનો વરઘોડો તો નીકળશે જ એવું નિવેદન આપ્યું હતું,જે હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.

જ્યારે પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે,જેનો ઉલ્લેખ કાયદામાં છે,પરંતુ પોલીસ દ્વારા આરોપીની ઓળખ છતી થાય એ મુજબ કામગીરી કરવામાં આવે છે અને મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે,જે બાબત પણ અયોગ્ય હોવાનું એડવોકેટ જણાવી રહ્યા છે.

માનવ અધિકાર પંચમાં પિટિશન દાખલ કરનાર એડવોકેટ આર.બી.મેંદપરાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવાની કામગીરી તદ્દન ગેરકાયદેસર છે,અને કાયદામાં ક્યાંય પણ આરોપીના વરઘોડા કાઢવાનો ઉલ્લેખ ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

Read the Next Article

સુરત : આંગડીયા પેઢીમાં RTGSથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ,પોલીસે 12.50 લાખની રોકડ કરી જપ્ત

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સરથાણામાં છેતરપિંડીનો મામલો

  • ત્રણ ભેજાબાજોએ ઠગાઈને આપ્યો અંજામ

  • આંગડિયામાંRTGSના નામે કરી છેતરપિંડી

  • રોકડા રૂ.51 લાખ લઈને થઈ ગયા હતા ફરાર

  • પોલીસે ત્રણ ભેજાબાજોની કરી ધરપકડ 

Advertisment

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં આર્થિક ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અને ભેજાબાજો દ્વારા છેતરપિંડી માટે પણ નિતનવી ચાલાકી કરવામાં આવી રહી છે,આવો જ એક બનાવ સરથાણા પોલીસ મથકના હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં ફરિયાદીના રૂપિયા 50 લાખ આંગડિયા પેઢીમાંRTGS કરવાના બહાને ભેજાબાજોએ રૂપિયા 1 લાખના કમિશન સાથે રોકડા રૂપિયા 51 લાખ ફરિયાદી પાસેથી મળેવી લીધા હતા.

જોકે સમય મર્યાદામાં રૂપિયાRTGS થયા ન હોતા,અને ભેજાબાજો ફરાર થઇ ગયા હતા.તેથી ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો,અને તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે કિશોર ઘોડાદરા,કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખ રોકડા રિકવર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Read the Next Article

સુરત : મોટા વરાછામાં સગા ભાઈએ કરી બહેન સાથે લાખોની છેતરપિંડી,ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરતી પોલીસ

મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા

New Update
  • મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો

  • સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી

  • રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા

  • બહેને નોંધાવી પોલીસ ફરિયાદ

  • ભાઈ સહિત બે આરોપીની ધરપકડ   

Advertisment

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.