સુરત : પોલીસ દ્વારા આરોપીઓના કાઢવામાં આવતા સરઘસ મામલે હ્યુમન રાઈટ કમિશનમાં પિટિશન દાખલ કરાઈ

સુરત પોલીસ દ્વારા ગુનાહિત કૃત્યમાં ધરપકડ કર્યા બાદ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે છે,જે ઘટના સામે હ્યુમન રાઈટ કમિશનના એડવોકેટ આર.બી.મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.

New Update
  • આરોપીઓનું સરઘસ પોલીસ માટે બન્યું વિવાદનું કારણ

  • માનવ અધિકાર પંચમાં પિટિશન કરાઈ દાખલ

  • એડવોકેટ દ્વારા પોલીસની કાર્યવાહીને પડકારવામાં આવી

  • પોલીસ કમિશનર 30 દિવસમાં રજૂ કરશે જવાબ 

  • આરોપીનું સરઘસ કાઢવા કાયદાથી વિરુદ્ધની કાર્યવાહી

Advertisment

સુરત પોલીસ દ્વારા ગુનાહિત કૃત્યમાં ધરપકડ કર્યા બાદ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે છે,જે ઘટના સામે હ્યુમન રાઈટ કમિશનના એડવોકેટ આર.બી.મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.અને પોલીસને કાયદાની આંટીમાં લીધી છે.

સુરતમાં પોલીસ તંત્ર દ્વારા ગુન્હાહિત કૃત્ય આચરતા આરોપીઓનો જાહેરમાં સરઘસ (વરઘોડો) કાઢવામાં આવે છે,અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે,પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવતી સરઘસની કાર્યવાહી કેટલી યોગ્ય છે,તે અંગે પ્રશ્ન ઉઠવા પામ્યો છે,અને હ્યુમન રાઈટ કમિશનના એડવોકેટ આર.બી.મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં પોલીસની આરોપી સામે કરવામાં આવતી સરઘસની કામગીરી કેટલી યોગ્ય છે,તે અંગે પિટિશન દાખલ કરવામાં આવી છે.અને માનવ અધિકાર પંચ દ્વારા સુરત પોલીસ કમિશનર પાસે આ અંગેનો 30 દિવસમાં જવાબ પણ માંગવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓનો વરઘોડો તો નીકળશે જ એવું નિવેદન આપ્યું હતું,જે હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.

 જ્યારે પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે,જેનો ઉલ્લેખ કાયદામાં છે,પરંતુ પોલીસ દ્વારા આરોપીની ઓળખ છતી થાય એ મુજબ કામગીરી કરવામાં આવે છે અને મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે,જે બાબત પણ અયોગ્ય હોવાનું એડવોકેટ જણાવી રહ્યા છે.

 માનવ અધિકાર પંચમાં પિટિશન દાખલ કરનાર એડવોકેટ આર.બી.મેંદપરાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવાની કામગીરી તદ્દન ગેરકાયદેસર છે,અને કાયદામાં ક્યાંય પણ આરોપીના વરઘોડા કાઢવાનો ઉલ્લેખ ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

 

Advertisment
Read the Next Article

સુરત : બે’રોજગાર રત્ન કલાકારોના બાળકોની 1 વર્ષની શિક્ષણ ફી રાજ્ય સરકાર ચૂકવશે : હર્ષ સંઘવી

રાજ્યમાં બેરોજગાર રત્ન કલાકારોના આપઘાતની ઘટના અને હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને ડામવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો બેરોજગાર રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત સરકારે કરી

New Update
  • બેરોજગાર રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત

  • રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકો માટે નિર્ણય

  • રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તૃત માહિતી આપી

  • રત્ન કલાકારોના બાળકોની 1 વર્ષની શિક્ષણ ફી ચૂકવાશે

  • નાના ઉદ્યોગોને લોન પર 9% 3 વર્ષ સુધી વ્યાજ સહાય 

Advertisment

રાજ્યમાં બેરોજગાર રત્ન કલાકારોના આપઘાતની ઘટના અને હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને ડામવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છેત્યારે સુરત ખાતેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છેજેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગત તા. 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. આ મિટિંગના 74 દિવસ બાદ આખરે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કેરત્ન કલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે. આ ફી સરકાર DBT મારફત ટ્રાન્સફર કરશેજ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યૂટીમાં એક વર્ષની રાહત અપાશે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કેકોઈપણ રત્ન કલાકારોને નોકરી મેળવવા માટે અવ્યવસ્થા ન થાય તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે તેજી-મંદી વેપારનો ભાગ છે. મંદી પણ દૂર થશેજ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે રત્ન કલાકારોને રાહત આપવા આ નિર્ણય લીધો છે. જેમાં તા. 31 માર્ચ-2024 પછી કામ ન મળ્યું હોય તેમજ જેમને છુટા કર્યા હોય તેવા રત્ન કલાકારોને સરકારની સહાયનો લાભ મળશે.

Advertisment