સુરત : પીએમ મોદીના આશીર્વાદ ફળ્યા,દિવ્યાંગ ચિત્રકારનું ભાજપ દ્વારા સન્માન કરીને આર્થિક સહાય અર્પણ કરાઈ

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન એક દિવ્યાંગ ચિત્રકારે ભવ્ય અયોધ્યા પર પીએમની તસવીર બનાવી હતી,અને પીએમ મોદીએ ચિત્રકારની મુલાકાત પણ કરી હતી,

New Update
  • પીએમ મોદીએ દિવ્યાંગ ચિત્રકારની કળાને બિરદાવી હતી

  • ચિત્રકારે બંને હાથ ન હોવા છતાં પરિશ્રમનું આપ્યું ઉત્તમ ઉદાહરણ

  • અયોધ્યા રામ મંદિર સાથે પીએમની તસવીર બનાવી હતી

  • ભાજપ કાર્યાલય દ્વારા દિવ્યાંગ ચિત્રકારનું કરાયું સન્માન

  • ચિત્રકારને રૂપિયા 1 લાખની આર્થિક સહાય કરાઈ અર્પણ

Advertisment

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન એક દિવ્યાંગ ચિત્રકારે ભવ્ય અયોધ્યા પર પીએમની તસવીર બનાવી હતી,અને પીએમ મોદીએ ચિત્રકારની મુલાકાત પણ કરી હતી,ત્યારે ભાજપ દ્વારા દિવ્યાંગ ચિત્રકારનું સન્માન કરીને રૂપિયા 1 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

સુરતના લીંબાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો,આ કાર્યક્રમ દરમિયાન જ્યારે પીએમ મોદીનો કાફલો આવી રહ્યો હતો ત્યારે એક પેઇન્ટિંગ લઈને ઉભેલા યુવક પર પીએમ મોદીની નજર પડી હતી,અને તેઓએ કાફલો થોભાવીને દિવ્યાંગ ચિત્રકાર મનોજ ભીંગારેને મળ્યા હતા,મનોજને બંને હાથ નથી તેમ છતાં અથાગ પરિશ્રમથી તેને અયોધ્યા રામ મંદિર સાથેની પીએમ મોદીની તસવીર બનાવી હતી,તસવીર પર પીએમ મોદીએ હસ્તાક્ષર કરીને મનોજની કળાને બિરદાવી હતી.દિવ્યાંગ તસવીરકાર મનોજને પીએમ મોદીના આશીર્વાદ ફળ્યા હતા,અને સુરત ભાજપ કાર્યાલય દ્વારા મનોજ ભીંગારેનું સન્માન કરીને રૂપિયા 1 લાખની આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મનોજે આ પ્રસંગે પીએમ મોદીની પ્રશંસા કરીને ભાજપની મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

 

Advertisment
Read the Next Article

સુરત :  માતાના પ્રેમીને દીકરાએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને રહેંસી નાખતા ચકચાર

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

New Update
  • ગોડાદરામાં ચોંકાવનારો હત્યાનો બનાવ

  • માતાના પ્રેમીની હત્યાની ઘટનાથી ચકચાર

  • પુત્રએ ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી

  • માતાએ પુત્રને બચાવવા પોલીસને ગેરમાર્ગે દોડાવી

  • પોલીસે કરી હત્યારા પુત્રની ધરપકડ

Advertisment

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વિશાલ નામના યુવકે પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી દીધી હતી. રાજેન્દ્ર અને વિશાલની માતા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ વિશે વિશાલને ખબર પડી ગઈ હતી અને તે આ બાબતે ખુબ જ ગુસ્સામાં રહેતો હતો. આખરે ગુસ્સાનું પરિણામ એવું આવ્યું કે એક દિવસ વિશાલે રાજેન્દ્રને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

વિશાલે રાજેન્દ્રને મળવા બોલાવ્યો અને પછી ગળાના ભાગે ચપ્પાથી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદમાતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોલીસને ખોટી માહિતી પણ આપી હતી. માતાએ પોલીસને જણાવ્યું કે કોઈ અજાણ્યો શખ્સ આવીને રાજેન્દ્રની હત્યા કરી છે અને પછી ત્યાંથી ભાગી ગયો છે.પરંતુ પોલીસને શંકા જતા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુત્ર વિશાલે આખો ભેદ ઉકેલી નાખ્યો અને કબૂલાત કરી કે તેણે જ પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી છે. અંતે પોલીસે વિશાલની ધરપકડ કરી લીધી છે અને હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment