સુરત : રેસ્ટોરન્ટ સંચાલકના આપઘાતના મામલામાં પોલીસે હનીટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહિત ચાર આરોપીની કરી ધરપકડ

પોલીસે આરોપીઓ સામે આપઘાત માટે દુષ્પ્રેરણા અને બ્લેકમેલિંગનો ગુન્હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.તેમજ વરાછા પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું

New Update
  • હનીટ્રેપમાં ફસાયેલા વેપારીનો આપઘાતનો મામલો

  • રેસ્ટોરન્ટ માલિકે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો

  • વેપારીએ અંતિમ વીડિયો બનાવીને જીવનલીલા સંકેલી હતી

  • વરાછા પોલીસ બે મહિલા સહિત ચાર આરોપીઓની કરી ધરપકડ

  • આરોપીઓ બ્લેકમેલ કરીને કરતા હતા રૂપિયાની માંગણી

સુરતના વરાછામાં રેસ્ટોરન્ટના માલિક યોગેશ જાવીયાને એક મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા,જેમાં યોગેશ અને મહિલા ભાગી પણ ગયા હતા,જોકે મહિલા દ્વારા યોગેશ જાવીયા પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી,અને મહિલાએ પતિ જેઠ અને જેઠાણી સાથે મળીને યોગેશ જાવીયાને હનીટ્રેપમાં ફસાવ્યા હતા.

જેના આઘાતમાં એક અંતિમ વિડીયો બનાવીને યોગેશ જાવીયાએ તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો,જે ઘટનામાં પોલીસે આરોપી ભરત ઉર્ફે ભોડી કાનજીભાઈ ઝાલા તેની પત્ની નયના ભરત ઝાલાહનુ કાનજીભાઈ ઝાલા અને નયના હનુ ઝાલાની ધરપકડ કરી છે.

પોલીસે આરોપીઓ સામે આપઘાત માટે દુષ્પ્રેરણા અને બ્લેકમેલિંગનો ગુન્હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.તેમજ વરાછા પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું,અને આરોપીઓએ અગાઉ કોઈ અન્ય લોકોને પણ આ રીતે બ્લેકમેલ કર્યા છે કે નહીં તે અંગેની તપાસ પણ પોલીસ કરી રહી છે.

Read the Next Article

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના રસ્તા બન્યા ખાડામય

  • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

  • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

  • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

  • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.