સુરત: એક જ ચાવીથી બાઈક ચોરીને અંજામ આપતા રીઢા ચોરની પોલીસે 15 વાહનો સાથે કરી ધરપકડ

સુરત ,વલસાડ,તાપી અને મહારાષ્ટ્રમાં બાઈક ચોરીને અંજામ આપતા 25 વર્ષીય દિપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠને પોલીસે ઝડપી લીધો હતો,અને 15 જેટલી ચોરીની સ્પ્લેન્ડર બાઈક પણ પોલીસે રિકવર કરી

New Update
  • ક્રાઇમ બ્રાન્ચે કર્યો વાહન ચોરીનો પર્દાફાશ

  • વાહનચોરની પોલીસે કરી ધરપકડ

  • એક જ ચાવીથી બાઈક ચોરીને આપતો હતો અંજામ

  • આરોપી સુરત,વલસાડ,તાપી અને મહારાષ્ટ્રમાં કરતો ચોરી

  • પોલીસે 15 બાઈક રિકવર કરીને વધુ તપાસ શરૂ કરી 

સુરત શહેર ક્રાઈમ બ્રાંચે આંતરરાજ્ય વાહન ચોરીનો પર્દાફાશ કર્યો છે.એક જ ચાવીથી બાઈક ચોરીને અંજામ આપતા રીઢા ચોરની ક્રાઇમ  બ્રાન્ચે ધરપકડ કરી હતી.અને 15 ચોરીના વાહનો રિકવર કર્યા હતા.

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી હતી,સુરત શહેર,વલસાડ,તાપી અને મહારાષ્ટ્રમાં બાઈક ચોરીને અંજામ આપતા 25 વર્ષીય દિપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠને પોલીસે ઝડપી લીધો હતો,અને 15 જેટલી ચોરીની સ્પ્લેન્ડર બાઈક પણ પોલીસે રિકવર કરી હતી.પોલીસ તપાસમાં આરોપી દિપક એક જ ચાવી બનાવીને બાઈક ચોરીને અંજામ આપતો હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતમાંથી બાઈક ચોરીને તે મહારાષ્ટ્રમાં વેચી દેતો હતો.હાલ પોલીસે આરોપીની ધરપકડ સાથે રૂપિયા 4 લાખ 65 હજારનાં 15 વાહનો રિકવર કર્યા છે.આ આરોપી ખાસ કરીને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી માટે એક 'કીએટલે ચાવી બનાવી હતી અને આ એક ચાવીથી બાઈકનું લોક ખોલી અને તે સ્ટાર્ટ કરતો હતો.

દિપક સિરસાઠ પર અગાઉ પણ 20થી વધુ ગુનામાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. અઠવાલાઇન્સઉમરાસિંગણપોરચોક બજાર અને પુણા પોલીસ સ્ટેશનમાં તેમની સામે વિવિધ ફરિયાદ નોંધાઈ છે.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.