સુરત : હીરા કારખાનામાં કામ કરતા રત્નકલાકારોની કરતૂત, 11 લાખના હીરા ચોરીમાં પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં રૂપિયા 11 લાખની ચોરી થઇ હતી,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને 2 આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સુરતની કાપોદ્રા પોલીસને મળી સફળતા

  • લાખો રૂપિયાની હીરા ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો

  • પોલીસે વેશપલટો કરી આરોપીને ઝડપી પાડયા

  • રત્નકલાકારે જ કરી હતી હીરાની ચોરી

  • પોલીસે વધુ તપાસ શરૂ કરી

સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં રૂપિયા 11 લાખની ચોરી થઇ હતી,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને 2 આરોપીઓની ધરપકડ કરી હતી.અને રૂપિયા 6 લાખથી વધુના હીરા અને બે મોબાઈલ ફોન કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક હીરાના કારખાનામાં રૂપિયા 11 લાખના હીરાની ચોરી થઇ હતી.જે ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે.હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોએ જ ચોરીને અંજામ આપ્યો હતો,જે અંગેની માહિતી મળ્યા બાદ પોલીસે એક આરોપીને ચંબલથી તો બીજાને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા,અને પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે હીરા કારખાનામાં કામ કરતી વખતે તીજોરીનો નંબર જાણી ચાવીની ચોરી કરી હીરા ચોરીને અંજામ આપ્યો હતો.પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ સાથે રૂપિયા 6 લાખથી વધુના હીરા અને બે મોબાઈલ ફોન કબજે કર્યા છે,અને વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.