સુરત : સચિન સ્લમ બોર્ડ પ વિસ્તારમાં લૂંટની ઘટનામાં પોલીસે આરોપીઓને દબોચી લીધા,લૂંટારૂઓએ ચપ્પુની અણીએ ચલાવી હતી લૂંટ

સુરતના સચિન સ્લેમ બોર્ડ 5 વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી,જેમાં ચપ્પુની અણીએ ત્રણ લૂંટારૂઓએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી.

New Update
  • સચિન વિસ્તારમાં બની હતી લૂંટની ઘટના

  • ત્રણ માથાભારે લૂંટારુઓએ ચપ્પુની અણીએ લૂંટને આપ્યો અંજામ 

  • સોનાની ચેન અને મોબાઈલની ચલાવી હતી લૂંટ

  • બે લોકોને લૂંટારુ ગેંગે પોતાના શિકાર બનાવ્યા હતા

  • પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

સુરતના સચિન સ્લેમ બોર્ડ 5 વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી,જેમાં ચપ્પુની અણીએ ત્રણ લૂંટારૂઓએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. માથાભારે આરોપીઓએ બે લોકોને લૂંટનો શિકાર બનાવ્યા હતા.જે ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને આરોપીઓની ધરપકડ કરી હતી,અને ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

સુરતના સચિન સ્લમ બોર્ડ 5 વિસ્તારમાં તારીખ 28મીના રોજ ફરિયાદીને અજાણ્યા લૂંટારૂઓ ભટકાય ગયા હતા,અને ચપ્પુની અણીએ સોનાની ચેન તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ત્રણ લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા.જોકે લૂંટારૂ ટોળકીએ બે લોકોને લૂંટનો શિકાર બનાવ્યા હતા.આ અંગે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી,અને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી,જેમાં પોલીસને ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી,પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી,અને આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.