સુરત : અડાજણમાં વૃધ્ધાને હથોડીના ઘા મારી મંગળસૂત્રની લૂંટની ઘટનામાં પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

સુરતના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતી વૃદ્ધ મહિલા પર હથોડીથી હુમલો કરી મંગલસૂત્રની લૂંટ કરીને લુટારુ ફરાર થઈ ગયા હતા.

New Update

સુરતના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતી વૃદ્ધ મહિલા પર હથોડીથી હુમલો કરી મંગલસૂત્રની લૂંટ કરીને લુટારુ ફરાર થઈ ગયા હતા.આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતના અડાજણ વિસ્તારમાં તારીખ 2જી જૂન 2024ના રોજ ટીજીબી હોટલની ગલીમાં એસ.એમ.સી આવાસ બિલ્ડીંગ સામે ગલ્લો ચલાવતા એક વૃદ્ધ મહિલા સાથે લૂંટની ઘટના બની હતી.આરોપીઓએ વૃદ્ધ મહિલાને છાતીના ભાગે હથોડીના ઘા મારીને ગળામાં પહેરેલ મંગલસૂત્રની લૂંટ કરી હતી અને ગલ્લામાં તોડફોડ કરી હતી. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે વૃદ્ધાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન બાતમીના આધારે મહીધરપુરા સળીયા માર્કેટ વિસ્તારમાંથી આરોપી ગુલામ મુસ્તફા અહમદભાઈ ભઠીયારા અને મહમદ સાકીર ગુલામ સાબીર ભઠીયારાને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓએ તેના સાગરીત જયેશ ગુર્જર અને ભદ્રેશ કહાર સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે ગુલામ મુસ્તફા અને મહમદશાખીર ગુલામ સાબીર ભઠીયારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જ્યારે આની બે આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. 
Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.