સુરત: બેંકમાં કરન્ટ ખાતાઓ ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી ટોળકીનો પોલીસે કર્યો પર્દાફાશ

સુરત સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી 6 આરોપીને પકડી પાડી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

New Update
  • સુરત સાયબર ક્રાઇમ પોલીસને મળી સફળતા

  • બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા

  • સાયબર માફિયાઓને ભાડે અપાતા હતા

  • પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ

  • 9 મોબાઈલ કબ્જે કરાયા

બેંકમાં કરન્ટ ખાતાઓ ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી વધુ એક ટોળકીનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલામાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે
બેંકમાં કરન્ટ ખાતાઓ ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી વધુ એક ટોળકીનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે.જેમાં સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી 6 આરોપીને પકડી પાડયા હતા સાથે 9 મોબાઇલ રૂ.51 હજાર, અલગ અલગ બેંકોના ડેબિટ કાર્ડ-11, ચેકબુક-8 અને રોકડ 49 હજાર મળી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
પકડાયેલામાં સૂત્રધાર નરેશ ધડુક અને રંજની ખુંટ છે. જયારે એક વોન્ટેડ આરોપી નીલેશ નાયકા બેંગ્લોરમાં રહે છે અને તમામ આરોપીઓ કરન્ટ ખાતા નીલેશને મોકલતા હતા. નિલેશ તે ખાતાઓ દુબઈ મોકલી આપતો હતો. આરોપીઓ પાસેથી મળેલા કરન્ટ ખાતામાં કરોડોના ટ્રાન્જેકશનો થયા છે.
હાલમાં સાયબર ક્રાઇમે જાતે ફરિયાદ દાખલ કરી છે. જેના આધારે પોલીસે 6 આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. જયારે નીલેશ વોન્ટેડ છે. પકડાયેલા આરોપી પૈકી 5 આરોપીએ બોગસ ડોક્યુમેન્ટોથી બોગસ પેઢી ઊભી કરન્ટ ખાતાઓ ખોલાવ્યા હતા.
Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યા કાયમી હલ કરવા નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી...

ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં અધિકારીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી

New Update
  • કેન્દ્ર સરકાર દ્વારા ટકોર કરાતા તંત્ર કામે લાગ્યું

  • ખાડીપૂરની સમસ્યા કાયમી હલ કરવા આયોજન

  • નિરાકરણ માટે રાજ્ય સરકાર મેદાનમાં આવી

  • નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી

  • ઝીંગા તળાવ સહિતના દબાણો દૂર કરવા નિર્દેશ

સુરત શહેરમાં દર વર્ષે સર્જાતી ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક યોજાય હતી. જેમાં ખાડીપૂર અને જર્જરિત બ્રિજ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

સુરત શહેરમાં ખાડીપૂરની વારંવારની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર હવે સક્રિય થઈ છે. સુરત ખાતે રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં આ સમસ્યાના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય 3 બેઠક યોજાય હતી. આ બેઠકમાં ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા અધિકારીઓસાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાસુરત અને ગ્રામ્ય પોલીસસિંચાઈ વિભાગમેટ્રો અને રેલવે સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક દરમિયાન ખાડીપૂર સંબંધિત એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રી કનુ દેસાઈએ આ પ્રેઝન્ટેશનને ધ્યાનપૂર્વક જોયા બાદ મહત્વપૂર્ણ નિર્ણયો અને સૂચનાઓ આપી હતી. ખાડીપૂર ઉપરાંતકનુ દેસાઈએ રોડ અને બ્રિજની સ્થિતિ અંગે પણ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. જેમાં કયા બ્રિજ કેરોડ જર્જરિત છે. તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવી તેના સમારકામ અથવા પુન:નિર્માણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કેસુરતમાં હાલ જે રીતે ખાડી નજીક દબાણ સહિત રહેઠાણ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધ્યા છેતેના કારણે પાણીનું સ્તર વધ્યું છે. જે ખાડીપૂરનું એક મુખ્ય કારણ છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારમાં એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. વધુ વરસાદ પડે તો કેવી રીતે નદીના પાણીને અટકાવી શકાયઅને શહેરને બચાવી શકાયતે માટેનું લાંબા ગાળાનું આયોજન અધિકારીઓને સાથે રાખીને કરાશે.