સુરત: બેફામ બનેલા ડમ્પર ચાલકો સામે તવાઈ બોલાવતી પોલીસ,ચેકીંગ દરમિયાન ત્રણ ડ્રાઈવર નશામાં મળી આવ્યા

ડમ્પર ચાલકે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો.આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા,જેમાં સ્પષ્ટ જોય શકાતું હતું કે ડમ્પર ચાલકે પુરઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને વિદ્યાર્થીને ફૂટબોલની માફક ઉડાડ્યો હતો.

New Update
  • સુરતમાં ડમ્પર ચાલકો સામે પોલીસની તવાઈ

  • ડમ્પર ચાલકે સિગ્નલ તોડીને વિદ્યાર્થીને લીધો હતો અડફેટમાં

  • પોલીસે ઓચિંતું જ ચેકીંગ હાથ ધરતા ડમ્પર ચાલકોમાં ફફડાટ

  • પોલીસ તપાસ દરમિયાન ચાર ડ્રાઈવરો નશામાં ધૂત મળ્યા

  • પોલીસે નશો કરતા ડ્રાઇવરો સામે કરી કડક કાર્યવાહી  

Advertisment

સુરતના પાલ ગૌરવપથ રોડ પર બેફામ બનેલા ડમ્પરે આઠમાં ધોરણના વિદ્યાર્થીને ઉડાવ્યા બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા ડમ્પર ચાલકોનું ચેકિંગ હાથ ધરતા ત્રણ ડમ્પર ચાલક નશામાં ધૂત થઈ વાહન હંકારતા મળ્યા હતા.

સુરતના પાલમાં ડમ્પર ચાલકે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો.આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા,જેમાં સ્પષ્ટ જોય શકાતું હતું કે ડમ્પર ચાલકે પુરઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને વિદ્યાર્થીને ફૂટબોલની માફક ઉડાડ્યો હતો.વિદ્યાર્થી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે જે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ડમ્પર ચાલકે અકસ્માત કર્યો હતો તે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

પોલીસ ચેકીંગ દરમિયાન પાલ રોડ એપેક્ષ હોસ્પિટલ પાસેથી ચાલક પ્રભુ કચેરીયા મીણાજ્યારે ભેસાણ ચોકડી પાસે બે ડમ્પરને પોલીસે અટકાવીને ચેકિંગ કર્યું હતુ.જેના ચાલક મોકતારખાન મુન્નાખાન અને ચાલક સચદેવાનંગ રામુપ્રસાદ નશામાં ધૂત મળી આવતા ગુનો નોંધ્યો હતો.

સચિન GIDC નાયરા પેટ્રોલપંપ પાસે તો બેફામ દોડતા ડમ્પર ચાલકે રવિવારે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં જીયાવ ગામ કુંભાર ફળિયાના આયુષ ગિરીશ પટેલની કારને ટક્કર મારી નુકસાન કર્યું હતું.આમ પોલીસના ચેકીંગ દરમિયાન જુદા જુદા ડમ્પરના ત્રણ  ડ્રાઇવરો નાશમાં ધૂત મળી આવ્યા હતા,અને નશામાં ધૂત ડમ્પર ચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisment
Read the Next Article

સુરત : ગોડાદરામાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગથી ચકચાર,ઈજાગ્રસ્ત સારવાર હેઠળ,પોલીસે શરુ કરી તપાસ

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • ગોડાદરા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગની ઘટના

  • યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું

  • પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી

  • ગોળી વાગતા વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું તે દિશામાં તપાસ 

Advertisment

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ચકચારી ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું હતું.તેઓની પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી હતી. ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,અને ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisment