-
રાજકોટ બસ અકસ્માતમાં 4 લોકોના મોતનો મામલો
-
ગોઝારી ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવી
-
શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
-
સિટી બસ ડ્રાઇવરનું બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા ચેકીંગ
-
અકસ્માતોમાં ઘટાડો થાય હેતુસર પોલીસની કામગીરી
રાજકોટમાં સિટી બસ અકસ્માતની ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ ઘટના બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે, જ્યાં સિટી બસ ડ્રાઇવરનું બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટમાં ગત તા. 16 એપ્રિલ-2025ના રોજ સિટી બસના ચાલકે બેફામ બસ હંકારી 4 લોકોને મોતની નીંદર સુવડાવી દીધી છે, જ્યારે 2 લોકો હજુ પણ સારવાર હેઠળ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અકસ્માતના પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે, અને લોકોમાં આક્રોષની લાગણી જોવા મળી રહી છે. તો આ તરફ, રાજકોટ બસ અકસ્માતની ઘટના બાદ સુરત શહેરમાં પણ પોલીસ એક્શનમાં આવી છે. જેમાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા શહેરના VR મોલ નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
શહેરમાં દોડતી સિટી બસ ડ્રાઇવરને બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સિટી બસ ડ્રાઇવરના લાઇસન્સ ચેક કરવામાં આવ્યા હતા. જોકે, સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી, હવે અકસ્માતના બનાવોમાં આંશિક ઘટાડો થાય તે પ્રકારે પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.