રાજકોટ બસ અ’કસ્માતની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, સિટી બસ ચાલકોનું ચેકીંગ હાથ ધર્યું...

રાજકોટમાં સિટી બસ અકસ્માતની ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ ઘટના બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે, જ્યાં સિટી બસ ડ્રાઇવરનું બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
  • રાજકોટ બસ અકસ્માતમાં 4 લોકોના મોતનો મામલો

  • ગોઝારી ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવી

  • શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

  • સિટી બસ ડ્રાઇવરનું બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા ચેકીંગ

  • અકસ્માતોમાં ઘટાડો થાય હેતુસર પોલીસની કામગીરી

રાજકોટમાં સિટી બસ અકસ્માતની ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા છેત્યારે આ ઘટના બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છેજ્યાં સિટી બસ ડ્રાઇવરનું બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

રાજકોટમાં ગત તા. 16 એપ્રિલ-2025ના રોજ સિટી બસના ચાલકે બેફામ બસ હંકારી 4 લોકોને મોતની નીંદર સુવડાવી દીધી છેજ્યારે 2 લોકો હજુ પણ સારવાર હેઠળ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અકસ્માતના પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છેઅને લોકોમાં આક્રોષની લાગણી જોવા મળી રહી છે. તો આ તરફ, રાજકોટ બસ અકસ્માતની ઘટના બાદ સુરત શહેરમાં પણ પોલીસ એક્શનમાં આવી છે. જેમાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા શહેરના VR મોલ નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

શહેરમાં દોડતી સિટી બસ ડ્રાઇવરને બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સિટી બસ ડ્રાઇવરના લાઇસન્સ ચેક કરવામાં આવ્યા હતા. જોકેસુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેથીહવે અકસ્માતના બનાવોમાં આંશિક ઘટાડો થાય તે પ્રકારે પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : એરપોર્ટને નડતરરૂપ બહુમાળી ઈમારતનો મુદ્દો ગરમાયો,ક્રેડાઈ દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

New Update
  • એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના સર્વેનો મામલો

  • ક્રેડાઈ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજૂઆત

  • એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવશે માહિતી

  • નડતરરૂપ બિલ્ડિંગ અંગે આપવામાં આવશે માહિતી

  • બિલ્ડિંગ ઓનર દ્વારા ન્યાયાલય સમક્ષ ન્યાયની માંગ  

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઝડપથી આ દિશામાં કોઈ નિર્ણય લેશે તેવી આશા બંધાઈ છે. તો બીજી તરફ ક્રેડાઈ દ્વારા આ મામલે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદમાં થયેલી ઘટના બાદ હવે સુરતના લોકોના પણ જીવ તાળવે ચોંટી ગયા છે. માત્ર ઈમારતમાં રહેતા લોકો જ નહીં પરંતુ જે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે તેમના માટે પણ આ એક મોટો ચિંતાનો વિષય છે. નડતરરૂપ બિલ્ડિંગોને દૂર કરવામાં આવે તો સુરતમાં આવતી ફ્લાઇટ કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી લેન્ડિંગ થઈ શકશે. આ બાબતને લઈને કલેક્ટરે પણ પોતાની ગંભીરતા હાલ દાખવી છે. નડતરરૂપ બિલ્ડિંગો કઈ કઈ છે તે અંગે માહિતી એરપોર્ટ ઓથોરિટી આપી શકે છે. તેમની સૂચના બાદ જ જે બિલ્ડિંગો નડતરરૂપ જણાશે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને જાણ કરશે કઈ કઈ બિલ્ડિંગોનો કેટલો ભાગ ઉતારી લેવા જેવો છે અને ત્યાર બાદ કલેક્ટર કોર્પોરેશન પાસે મેનપાવર અને મશીનરી પાવર માંગી નડતર દૂર કરવાની કાર્યવાહી કરશે.જોકે આ બધી કાર્યવાહીને પગલે બિલ્ડીંગ ઓનરોમાં ફફડાટ વ્યાપી ગયો છે,અને તેઓએ આ મુદ્દે કોર્ટ સમક્ષ ન્યાયની માંગ કરી છે.