સુરત: પોલીસે ગંભીર ગુન્હો આચરનાર આરોપીઓની કરી સરભરા, જાહેરમાં કાઢ્યું સરઘસ

સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ કેસના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યા હતા.બોગસ ડોક્ટરો બનાવનાર, સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરનાર, અપહરણ કરી લૂંટ કરનારની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યા હતા.

New Update
  • પોલીસે આરોપીઓની કરી સરભરા

  • જાહેરમાં કાઢ્યું સરઘસ

  • બોગસ મેડિકલ ડિગ્રી કૌભાંડી ડોક્ટરનું કાઢ્યું સરઘસ

  • અપહરણના આરોપીને પોલીસે શીખવાડ્યો સબક

  • હત્યાના આરોપીની શાન ઠેકાણે કરતી પોલીસે

Advertisment

સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ કેસના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યા હતા.બોગસ ડોક્ટરો બનાવનારસામાન્ય બાબતમાં યુવકની હત્યા કરનારઅપહરણ કરી લૂંટ કરનારની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યા હતા.

સુરત સહિત રાજયભરમાં બોગસ તબીબો તૈયાર કરવાનું કારખાનું ચલાવતા આરોપી ડો. રસેશ ગુજરાતી સહિત 3 સૂત્રધારોનું પોલીસ પાંડેસરા વિસ્તારમાં સરઘસ કાઢી બરાબરની સરભરા કરી હતી. પાંડેસરા પોલીસે સ્પેશ્યલ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોને બેનકાબ કર્યા હતા.પાંડેસરાના તુલસીધામ વિસ્તારમાં કવિતા ક્લિનિકઈશ્વરનગરમાં શ્રેયાન ક્લિનિક તેમજ કૈલાશ ચોકડી પાસે રણછોડનગરમાં પ્રિન્સ ક્લિનિકમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ ત્રણેય બોગસ ક્લિનિકમાંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીક અને એલોપેથીક દવાઓનો જથ્થો ઉપરાંત ઈન્જેક્શન અને સીરપ મળી આવ્યા હતા. આ પ્રકરણ સંદર્ભે પોલીસે BEMSના ડિગ્રી સર્ટિફિકેટ્સ સાથે 3 સંચાલકોની ધરપકડ કરી હતી. આરોપીઓની કબૂલાત અનુસારગોપીપુરા રત્ના સાગર સ્કૂલ પાસે ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ માંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીનો કોર્સ ચલાવાતો હતો. જયાંથી એ લોકોને BEMSની ડિગ્રી અપાતી હતી.

બોગસ ડિગ્રી આપવામાં શામેલ મુખ્ય સૂત્રધાર ડો.ભૂપેન્દ્ર સૂરજભાન ઉર્ફ બી.કે. રાવત અને તેના મુખ્ય કૌભાંડી ડો.રશેસ ગુજરાતી સહિત કુલ 10ની ધરપકડ કરાઈ હતી. રશેસ ગુજરાતી આણી મંડળીએ અત્યાર સુધી 70 હજાર ખંખેરી 1500 લોકોને નકલી ડિગ્રી આપી હતી.પોલીસે રસેશ ગુજરાતીરાવત અને ઈરફાનને લઈ કૈલાસનગર ચોકડી સહિતના વિસ્તારોમાં તપાસાર્થે લઇ ગઇ હતી.અને ત્રણેય કૌભાંડીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે પાઠ ભણાવ્યો હતો.

તો બીજી તરફ અડાજણના કાપડ દલાલનું ચાકુની અણીએ અપહરણ કરી USDT ટ્રાન્સફર કરાવી લેવાના ચકચારી બનાવમાં SOGએ વધુ બે આરોપીની ધરપકડ કરી હતી.અને 3 આરોપીનો રાંદેરજિલ્લાના બ્રિજ પાસે સરઘસ કાઢી પોલીસે ખાખીનો પરચો બતાવ્યો હતો.

આ ઉપરાંત લિંબાયતમાં રાવનગર ખાતે મારામારી અને હત્યાના બનાવમાં ઝડપાયેલા આરોપી અનવર ઉર્ફે પપ્પુ પિંજારીસોયેબ ઉર્ફે ડમા સિદ્દીકીસમીર ઉર્ફે લાલુ અને રોશન યુસુફ પિંજારી રીઢા ગુનેગાર છે. અને જે જગ્યા પર હત્યા કરી હતી. તે ઘટના સ્થળ પર આરોપીઓને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને સરઘસ કાઢવામાં આવ્યું હતું.

Advertisment

 

Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ,ચાર શખ્સો હુમલો કરીને ફરાર

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

New Update
  • લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના

  • કુખ્યાત સમીર માંડવા પર થયું ફાયરિંગ

  • ફાયરિંગમાં સમીર માંડવાનો આબાદ બચવા

  • ચાર જેટલા ઈસમો ફાયરિંગ કરીને ફરાર

  • અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું 

Advertisment

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સો જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો. જોકે તેને કોઈ ઇજા થવા પામી નથી. ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છેજેમાં તેની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવાયું હતું. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

સમીર માંડવા સામે લૂંટધમકીમારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવાની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબહાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથીપરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisment