સુરત: પોલીસે ગંભીર ગુન્હો આચરનાર આરોપીઓની કરી સરભરા, જાહેરમાં કાઢ્યું સરઘસ

સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ કેસના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યા હતા.બોગસ ડોક્ટરો બનાવનાર, સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરનાર, અપહરણ કરી લૂંટ કરનારની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યા હતા.

New Update
  • પોલીસે આરોપીઓની કરી સરભરા

  • જાહેરમાં કાઢ્યું સરઘસ

  • બોગસ મેડિકલ ડિગ્રી કૌભાંડી ડોક્ટરનું કાઢ્યું સરઘસ

  • અપહરણના આરોપીને પોલીસે શીખવાડ્યો સબક

  • હત્યાના આરોપીની શાન ઠેકાણે કરતી પોલીસે

Advertisment

સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ કેસના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યા હતા.બોગસ ડોક્ટરો બનાવનારસામાન્ય બાબતમાં યુવકની હત્યા કરનારઅપહરણ કરી લૂંટ કરનારની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યા હતા.

સુરત સહિત રાજયભરમાં બોગસ તબીબો તૈયાર કરવાનું કારખાનું ચલાવતા આરોપી ડો. રસેશ ગુજરાતી સહિત 3 સૂત્રધારોનું પોલીસ પાંડેસરા વિસ્તારમાં સરઘસ કાઢી બરાબરની સરભરા કરી હતી. પાંડેસરા પોલીસે સ્પેશ્યલ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોને બેનકાબ કર્યા હતા.પાંડેસરાના તુલસીધામ વિસ્તારમાં કવિતા ક્લિનિકઈશ્વરનગરમાં શ્રેયાન ક્લિનિક તેમજ કૈલાશ ચોકડી પાસે રણછોડનગરમાં પ્રિન્સ ક્લિનિકમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ ત્રણેય બોગસ ક્લિનિકમાંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીક અને એલોપેથીક દવાઓનો જથ્થો ઉપરાંત ઈન્જેક્શન અને સીરપ મળી આવ્યા હતા. આ પ્રકરણ સંદર્ભે પોલીસે BEMSના ડિગ્રી સર્ટિફિકેટ્સ સાથે 3 સંચાલકોની ધરપકડ કરી હતી. આરોપીઓની કબૂલાત અનુસારગોપીપુરા રત્ના સાગર સ્કૂલ પાસે ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ માંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીનો કોર્સ ચલાવાતો હતો. જયાંથી એ લોકોને BEMSની ડિગ્રી અપાતી હતી.

બોગસ ડિગ્રી આપવામાં શામેલ મુખ્ય સૂત્રધાર ડો.ભૂપેન્દ્ર સૂરજભાન ઉર્ફ બી.કે. રાવત અને તેના મુખ્ય કૌભાંડી ડો.રશેસ ગુજરાતી સહિત કુલ 10ની ધરપકડ કરાઈ હતી. રશેસ ગુજરાતી આણી મંડળીએ અત્યાર સુધી 70 હજાર ખંખેરી 1500 લોકોને નકલી ડિગ્રી આપી હતી.પોલીસે રસેશ ગુજરાતીરાવત અને ઈરફાનને લઈ કૈલાસનગર ચોકડી સહિતના વિસ્તારોમાં તપાસાર્થે લઇ ગઇ હતી.અને ત્રણેય કૌભાંડીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે પાઠ ભણાવ્યો હતો.

તો બીજી તરફ અડાજણના કાપડ દલાલનું ચાકુની અણીએ અપહરણ કરી USDT ટ્રાન્સફર કરાવી લેવાના ચકચારી બનાવમાં SOGએ વધુ બે આરોપીની ધરપકડ કરી હતી.અને 3 આરોપીનો રાંદેરજિલ્લાના બ્રિજ પાસે સરઘસ કાઢી પોલીસે ખાખીનો પરચો બતાવ્યો હતો.

આ ઉપરાંત લિંબાયતમાં રાવનગર ખાતે મારામારી અને હત્યાના બનાવમાં ઝડપાયેલા આરોપી અનવર ઉર્ફે પપ્પુ પિંજારીસોયેબ ઉર્ફે ડમા સિદ્દીકીસમીર ઉર્ફે લાલુ અને રોશન યુસુફ પિંજારી રીઢા ગુનેગાર છે. અને જે જગ્યા પર હત્યા કરી હતી. તે ઘટના સ્થળ પર આરોપીઓને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને સરઘસ કાઢવામાં આવ્યું હતું.

Advertisment

 

Advertisment
Read the Next Article

સુરત : વેપારીઓના GST ડેટા વેચાય રહ્યા હોવાની કેન્દ્ર સરકારમાં રજૂઆતને પગલે ખળભળાટ,CAASએ લખ્યો નાણામંત્રીને પત્ર

ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કેન્દ્રીય નાણાંમંત્રીને કરવામાં આવતા ખળભળાટ મચી ગયો

New Update
  • CAAS એસો.નો સૌથી મોટો આરોપ

  • GSTના ડેટા ઓનલાઈન વેચવાનું રેકેટ

  • ડેટા સોલ્યુશન ગેંગ ચલાવી રહી છે નેટવર્ક

  • 10 હજારના પેકેજમાં વેચાઈ રહ્યા છે GST ડેટા

  • ગેંગનું દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડા હબ

  • CA એસો.ને કરી નક્કર પગલા ભરવાની માંગ

Advertisment

સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને એક ઔપચારિક પત્ર લખવામાં આવ્યો છે,જેમાં ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને લખવામાં આવેલો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. આ પત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસ વ્યવસ્થાની ગંભીર ખામીઓકરદાતાઓના ગુપ્ત ડેટાના વેચાણથી લઈને રિફંડ વિલંબ અને અપ્રમાણભૂત દંડ સુધીના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે 'ડેટા સોલ્યુશનનામની ગેંગ દિલ્હીગાઝિયાબાદ અને નોઈડામાં બેસીને સમગ્ર નેટવર્ક ચલાવી રહી હોવાની વાત પણ પત્રમાં કરવામાં આવી છે. 2B, 3અને e-Way Billનો ડેટા ત્રણ મહિનાના પેકેજમાં વહેંચાય છે.CAASના પ્રમુખ હાર્દિક કાકડિયાએ આ અંગે માહિતી આપી હતી.

સુરત CA એસોસિએશનના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર હિરેન અભંગીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં GSTના ડેટા લીક થતા હોવાની માહિતી મળી હતી,અને સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી છેસરકાર પાસેથી માત્ર ખાતરી નહીંપણ નક્કર પગલાની અપેક્ષા રાખીએ છીએ. વેપારીઓને આજે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે વાત અમારા પત્રમાં સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. જો આ સમસ્યાઓ પર તાત્કાલિક અને ગંભીર હસ્તક્ષેપ ન થાયતો સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા દાવ પર લાગી જવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે.

Advertisment