સુરત : વ્યાજખોર-સોનીના ત્રાસથી રત્ન કલાકારે કર્યો આપઘાત, જુઓ સુસાઇડ નોટમાં શું લખ્યું..!

વ્યાજખોર અને સોનીના ત્રાસથી એક રત્ન કલાકારે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. રત્નકલાકારે આપઘાત કરતા પોલીસ એક્શનમાં આવી છે

New Update
સુરત : વ્યાજખોર-સોનીના ત્રાસથી રત્ન કલાકારે કર્યો આપઘાત, જુઓ સુસાઇડ નોટમાં શું લખ્યું..!

સુરતમાં વ્યાજખોર અને સોનીના ત્રાસથી એક રત્ન કલાકારે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. રત્નકલાકારે આપઘાત કરતા પોલીસ એક્શનમાં આવી છે, અને પોલીસે તાત્કાલિક અસરથી આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ હરિ દર્શનમાં રહેતા રત્ન કલાકાર કમલેશ રાદડિયાએ પોતાના ઘરે આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, અને કમલેશ રાદડિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં કમલેશ રાદડિયાએ લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કમલેશ રાદડિયાએ લખ્યું હતું કે, જુનાગઢમાં રહેતા હિરેન નામના વ્યક્તિ પાસેથી કમલેશ રાદડિયાને પૈસા લેવાના હતા. હિરેને વધારે પૈસા કમાવી આપવાની લાલચ આપી હતી, તેથી મૃતક કમલેશ રાદડિયાએ પોતાના સગા વાહલાઓ પાસેથી રૂપિયા 1 કરોડ જેટલી રકમ લઈને હિરેનને આપી હતી. ત્યારબાદ જૂનાગઢનો હિરેન નામનો ઇસમ કમલેશ રાદડિયાને પૈસા તેમજ કમાણી પણ આપતો ન હતો. હિરેન નામના ઇસમે મૃતક કમલેશ રાદડિયાને સુરતમાં રહેતા ચીમન સોની નામના વ્યક્તિ પાસેથી સોનુ લેવા જણાવી તેના પૈસા પોતે ચૂકવી દેશે તેવું જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ હિરેને પણ આ સોનીને પૈસા ચૂકવ્યા ન હતા, અને મૃતક કમલેશ રાદડિયા પાસેથી થોડું સોનુ લઈ ગયો હતો. તો સોનીને પૈસા ન મળવાના કારણે તે મૃતક કમલેશ રાદડિયાને પૈસા માટે દબાણ કરતો હતો. કમલેશ રાદડિયાએ લખેલી સુસાઇડ નોટમાં એવી પણ માહિતી સામે આવી છે કે, તેમને પોતાના દીકરાને વિદેશ ભણવા જવા માટે પોતાના 2 મિત્રોના સંબંધી લોકો પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા હતા, ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : યવુતીના આપઘાત મામલામાં દુષ્પ્રેરણ કરનાર સગીરવયના આરોપીની અટકાયત સાથે તેના પિતાની પણ ધરપકડ

સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

New Update
  • કતારગામમાં યુવતીના આપઘાતનો મામલો

  • 19 વર્ષીય આશાસ્પદ યુવતીએ કર્યો હતો આપઘાત

  • પરિવારજનોએ દીકરીને હેરાન કરનાર પર કર્યા હતા આક્ષેપ

  • પોલીસે સગીરવયના યુવક અને તેના પિતાને દબોચી લીધા 

  • પોલીસે યુવક અને યુવતીના ફોન તપાસ અર્થે FSLમાં મોકલ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર યુવતી નેનુ વાવડીયાના આપઘાત મામલે પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દર્જ કર્યો હતો,અને આરોપી સગીરવયના યુવકની અટકાયત સાથે તેના પિતાની પણ ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો.

સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની 19 વર્ષીય દીકરી નેનુ છેલ્લા બે વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની બાજુમાં તાના ટ્યૂશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી.જોકે નેનુએ ગત તારીખ  13/07/2025ના રોજ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.જોકે નેનુએ ભરેલા અંતિમ પગલાથી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી,અને સૌ કોઈ દ્વિધામાં હતા કે નેનુએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હશે.!

પોલીસે પ્રથમ તો આ ઘટનામાં અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.જોકે યુવતીના પિતા અને તેના ભાઈએ એક યુવક પર નેનુને પરેશાન કરી ત્રાસ આપતો હોવાના આક્ષેપ કર્યા હતા.અને પિતાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર યુવક અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.ત્યારબાદ પોલીસે તપાસનો દોર તેજ કર્યો હતો.

આ કેસમાં આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની પોલીસે ધરપકડ કરી છેજ્યારે સગીરવયના પુત્રની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસે પિતાની પૂછપરછ શરૂ કરી છે અને આપઘાત કરનાર યુવતીનો મોબાઈલ ટેકનિકલ વિશ્લેષણ માટેFSLમાં મોકલવામાં આવ્યો છેજેથી મેસેજકોલ લોગ અને અન્ય ડિજિટલ પુરાવાઓમાંથી સંકેત મળી શકે. આરોપી પુત્રની ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ ગંભીર ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સુરતમાં પાટીદાર યુવતી નેનુના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.દેસાઈ સમાજના આગેવાન સહિત સમાજના લોકોએ ભેગા મળીને ઘટના અંગે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યું હતું કે નેનુ અને યુવક બંને એકબીજાના સંપર્કમાં હતા,અને એકબીજાથી ખુબજ સારી રીતે પરિચિત હતા,યુવક અને યુવતી વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા થયેલી વાતચીતના સ્ક્રીનશોર્ટ પણ તેઓએ પોલીસ કમિશનર સમક્ષ રજુ કર્યા હતા.અને જણાવ્યું હતું કે યુવકે યુવતીને સોશિયલ મીડિયા  પર બ્લોક કરી દીધા બાદ તેણીએ તેને ઈમેલ દ્વારા મેસેજ કર્યા હતા,જેના સ્ક્રીનશોર્ટ પણ રજુ કરવામાં  આવ્યા હતા,અને પોલીસ અટકાયતમાં રહેલા યુવક અને તેના પિતાને મુક્ત કરવાની માંગ કરી હતી.