સુરત: માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે 39 અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કરતા SDRF જવાન

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે 39 લોકો અને 8 પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. 

New Update

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે 39 લોકો અને 8 પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. 

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના કારણે ના સીમોદ્રા ગામ પાસેથી પસાર થતી કીમ નદી ઓવરફ્લો થઇ હતી, અને ગામના રહીશો ના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સ્થાનિક તંત્ર દ્વારા SDRFની મદદ થી 20 પુરુષ, 19 સ્ત્રી કુલ મળી 39 અસરગ્રસ્ત લોકો તથા અન્ય પશુઓ ને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડાયા હતા.છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં  શ્રીકાર વર્ષા ના પરિણામે જનજીવન પ્રભાવિત થયું છે.  
Read the Next Article

સુરત : શહેર ભવ્ય તિરંગા યાત્રામાં તરબોળ, "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની" થીમ પર હજારો લોકો ઉમટ્યા

દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું

New Update
  • ભવ્ય તિરંગા યાત્રાનું કરાયું આયોજન

  • યાત્રામાં હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતાની થીમ

  • 1.8 કિ.મી લાંબા રૂટને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો

  • કેન્દ્રીય મંત્રી અને ગૃહમંત્રીએ યાત્રાનું કરાયું પ્રસ્થાન

  • હાથમાં તિરંગો લઈને નાગરિકો જોડાયા યાત્રામાં  

સુરત શહેરના વાય જંક્શનથી આર.આર.મોલ સુધી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર ભવ્ય તિરંગા યાત્રાના રંગે રંગાયું હતું.આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતાજેના કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું.આ યાત્રા હર ઘર તિરંગાહર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતોજેને વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બનાવ્યો હતો.

તિરંગાયાત્રાનો શુભારંભ કરાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રાએ ગૌરવ યાત્રા છે.આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે,શહીદોના કુટુંબીજનોને યાદ કરીને તેમના પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.