સુરત : ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે સુરતના માન દરવાજા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

New Update
  • ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ

  • દેશભરમાં જન્મજયંતિની કરાઈ ઉજવણી

  • બાબાસાહેબની પ્રતિમાને ગૃહમંત્રીએ પુષ્પાંજલિ કરી અર્પણ

  • સુરતમાં બાબાસાહેબની પ્રતિમાને નમન કરતા હર્ષ સંઘવી

  • ડો.બાબસાહેબના જન્મજયંતિની શુભેચ્છા પાઠવતા હર્ષ સંઘવી

સુરતના મા દરવાજા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસ પ્રસંગે તેમની પ્રતિમાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર દેશભરમાં આજરોજ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના 134મી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતના માન દરવાજા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડો.બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં નમન કરીને સૌ સમાજને સુરક્ષા શાંતિ અને સલામતી મળે તેવી પ્રાર્થના કરી હતી.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.