-
ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ
-
દેશભરમાં જન્મજયંતિની કરાઈ ઉજવણી
-
બાબાસાહેબની પ્રતિમાને ગૃહમંત્રીએ પુષ્પાંજલિ કરી અર્પણ
-
સુરતમાં બાબાસાહેબની પ્રતિમાને નમન કરતા હર્ષ સંઘવી
-
ડો.બાબસાહેબના જન્મજયંતિની શુભેચ્છા પાઠવતા હર્ષ સંઘવી
સુરતના માન દરવાજા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસ પ્રસંગે તેમની પ્રતિમાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર દેશભરમાં આજરોજ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના 134મી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતના માન દરવાજા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડો.બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં નમન કરીને સૌ સમાજને સુરક્ષા શાંતિ અને સલામતી મળે તેવી પ્રાર્થના કરી હતી.