સુરત : ડાયમંડ એસોસિએશનના પ્રમુખનું નિવેદન,ઉદ્યોગની પરિસ્થિતમાં થયો સુધારો,રત્નકલાકારોને મળી રહી છે રોજગારી

સુરતનો ડાયમંડ ઉદ્યોગ દિવાળી બાદ પુનઃ તેજી તરફ ગતિ પકડી રહ્યો હોવાનું નિવેદન એસોસિએશનના પ્રમુખે આપ્યું છે,તેઓના મત મુજબ રત્નકલાકારોને જરૂરી રોજગારી પણ મળી રહી હોવાનો દાવો તેઓએ કર્યો છે.

New Update
  • સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો

  • ડાયમંડ એસોસિએશનના પ્રમુખનું નિવેદન

  • હિરા ઉદ્યોગમાં ઉઠામણા તેમજ ચિટિંગના કિસ્સામાં વધારો

  • 2021થી 2024 સુધીમાં 24 ઉઠામણા સામાન્ય ગણાવ્યા

  • રત્નકલાકારોને મળી રહી છે રોજગારી 

સુરતનો ડાયમંડ ઉદ્યોગ દિવાળી બાદ પુનઃ તેજી તરફ ગતિ પકડી રહ્યો હોવાનું નિવેદન એસોસિએશનના પ્રમુખે આપ્યું છે,તેઓના મત મુજબ રત્નકલાકારોને જરૂરી રોજગારી પણ મળી રહી હોવાનો દાવો તેઓએ કર્યો છે.

સુરતની એક ઓળખ ડાયમંડ ઉદ્યોગ પણ છે,પરંતુ મંદીના મારમાં પછડાયેલા ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો સામે પણ રોજગારીનો પ્રશ્ન ઉભો થયો હતો.અને રત્નકલાકારોમાં આપઘાતનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું,જ્યારે કેટલાક હિરા કારખાનેદારોએ ઉઠમણું પણ કર્યું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી,જોકે આ બધી ચિંતા ગ્રસ્ત બાબતો વચ્ચે રાહત આપતી માહિતી પણ જાણવા મળી છે,ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગોની પરિસ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે,અને હિરાના કારખાના પુનઃ ધમધમતા થયા છે.જ્યારે રત્નકલાકારોને પણ રોજગારી મળી હોવાનો દાવો તેઓએ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષ 2021થી 2024 સુધીમાં 24 જેટલા હિરાના કારખાનેદારોએ ઉઠમણું કર્યું હતું,જે સામાન્ય બાબત હોવાનું તેઓ કહી રહ્યા છે.અને હાલમાં ડાયમંડ ઉદ્યગોની પરિસ્થિતિ સુધરી હોવાનો દાવો તેઓએ કર્યો છે. 

Read the Next Article

સુરત : પોલીસે 8 વાહન ચોરના ગુનાઓનો ઉકેલ્યો ભેદ,બે મહિનામાં ચોરીને અંજામ આપનાર વાહન ચોરની ધરપકડ

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

New Update
  • 8 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા

  • પોલીસને મળી સફળતા 

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • અલગ અલગ વેશ ધારણ કરીને કરતો ચોરી

  • પોલીસે 8 બાઈક પણ કરી જપ્ત

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના સિંગણપોર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા.અને બે મહિનામાં જ 8 જેટલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબ્જે કરી હતી.અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જયારે વાહન ચોરી કરવા જતો હતો,ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો.