સુરત : સરકારી જમીન પર કરાયેલ રૂ. 100 કરોડથી વધુના દબાણ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર…

સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ. 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનધિકૃત દબાણો દૂર કરાયા છે.

New Update
  • 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પર ડિમોલિશન

  • 50 વર્ષથી કરવામાં આવ્યા હતા ગેરકાયદેસર રીતેના દબાણ

  • કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા નોટીસ આપાય

  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પેટ્રોલ પંપ-કારખાનું તોડી પડાયું

  • રેલવે સ્ટેશન નજીકની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી

સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ. 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનધિકૃત દબાણો દૂર કરાયા છે.

મળતી માહિતી અનુસારસુરત રેલવે સ્ટેશન નજીક દિલ્લી ગેટરિંગરોડના વોર્ડ નં. 7સિટી સર્વે નં. 6ની અંદાજે 8037 ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર અંબિકા ઓટોમોબાઇલ્સ તથા રાણા ટ્રાવેલર્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો. નોટિસ આપ્યા બાદ પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલિશનથી તોડી પાડ્યા છે. આ જમીન જિલ્લા લોકલ બોર્ડ-સુરતની હતીત્યારબાદ વર્ષ 1961થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા આ મિલકત હાલ જિલ્લા પંચાયત હસ્તક છે.

વર્ષ 1960ના અરસામાં ઉપરોક્ત પેઢીઓને આ જમીન માત્ર 7 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી. મુદ્દત પુરી થતા જિલ્લા પંચાયત સુરતની કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ-અલગ નોટીસ આપાઈ હતી. પરંતુ હાલના કબજેદારે જે તે વખતના લીઝ હોલ્ડર સાથે મિલીભગત કરી જિલ્લા પંચાયતની કોઈપણ પ્રકારની પરવાનગી અથવા મંજૂરી વગર છેલ્લા 50 વર્ષથી બિનઅધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર કરાયેલ 100 કરોડથી વધુના ગેરકાયદેસર દબાણને ફાયર વિભાગપોલીસ તંત્રવિદ્યુત બોર્ડ સહિત અન્ય સબંધિત વિભાગને સાથે રાખી સુરત જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડિમોલીશન કરી સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

Read the Next Article

સુરત: રાંદેરમાં આવેલ વાંકલ વિસ્તારના તાપી નદીના ઓવારાનું તાત્કાલિક સમારકામ કરાવવાની માંગ સાથે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખાયો

સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલ વાંકલ સ્ટ્રીટ તાપી નદીના કિનારે જે ઓવારો બનાવવામાં આવ્યો છે તે પાળા યોજનને કારણે ઘણી હાઈટ ઉપર ચઢીને નીચે કિનારો તરફ જવાય છે. આ કિનારો તૂટી ગયો છે

New Update
IMG-20250711-WA0023

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિક સમીર વ્યાસ દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે.

સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલ વાંકલ સ્ટ્રીટ તાપી નદીના કિનારે જે ઓવારો બનાવવામાં આવ્યો છે તે પાળા યોજનને કારણે ઘણી હાઈટ ઉપર ચઢીને નીચે કિનારો તરફ જવાય છે. આ કિનારો તૂટી ગયો છે અને તેનું સમારકામ કરવા માટે વારંવાર સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં  એક વર્ષ પૂર્ણ થયું હોય હજુ સુધી રીપેર કરવામાં આવ્યો નથી. જેને કારણે જાનહાની થવાની શક્યતા રહેલી છે.વધુમાં આ ઓવારો પાળા યોજના હેઠળ બન્યો હોવાના કારણે કલેકટર કચેરી મારફત તેનું સમારકામ કરાવવાનું હોય છે જો કે આ અંગે મહાનગરપાલિકા દ્વારા કલેકટર કચેરીને જાણ ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.ભવિષ્યમાં જો કોઈ અકસ્માત થશે અને તેને કારણે  જાનહાની થશે તો રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે આથી તાત્કાલિક ધોરણે આ પ્રશ્નના નિરાકરણની જાગૃત નાગરિક સમીર વ્યાસ દ્વારા માંગ કરવામાં આવી છે.