સુરત : સરકારી જમીન પર કરાયેલ રૂ. 100 કરોડથી વધુના દબાણ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર…

સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ. 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનધિકૃત દબાણો દૂર કરાયા છે.

New Update
  • 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પર ડિમોલિશન

  • 50 વર્ષથી કરવામાં આવ્યા હતા ગેરકાયદેસર રીતેના દબાણ

  • કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા નોટીસ આપાય

  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પેટ્રોલ પંપ-કારખાનું તોડી પડાયું

  • રેલવે સ્ટેશન નજીકની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી

સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ. 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનધિકૃત દબાણો દૂર કરાયા છે.

મળતી માહિતી અનુસારસુરત રેલવે સ્ટેશન નજીક દિલ્લી ગેટરિંગરોડના વોર્ડ નં. 7સિટી સર્વે નં. 6ની અંદાજે 8037 ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર અંબિકા ઓટોમોબાઇલ્સ તથા રાણા ટ્રાવેલર્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો. નોટિસ આપ્યા બાદ પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલિશનથી તોડી પાડ્યા છે. આ જમીન જિલ્લા લોકલ બોર્ડ-સુરતની હતીત્યારબાદ વર્ષ 1961થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા આ મિલકત હાલ જિલ્લા પંચાયત હસ્તક છે.

વર્ષ 1960ના અરસામાં ઉપરોક્ત પેઢીઓને આ જમીન માત્ર 7 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી. મુદ્દત પુરી થતા જિલ્લા પંચાયત સુરતની કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ-અલગ નોટીસ આપાઈ હતી. પરંતુ હાલના કબજેદારે જે તે વખતના લીઝ હોલ્ડર સાથે મિલીભગત કરી જિલ્લા પંચાયતની કોઈપણ પ્રકારની પરવાનગી અથવા મંજૂરી વગર છેલ્લા 50 વર્ષથી બિનઅધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર કરાયેલ 100 કરોડથી વધુના ગેરકાયદેસર દબાણને ફાયર વિભાગપોલીસ તંત્રવિદ્યુત બોર્ડ સહિત અન્ય સબંધિત વિભાગને સાથે રાખી સુરત જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડિમોલીશન કરી સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.