સુરત: કચરાના ઢગલામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે શરૂ કરી તપાસ

સુરતના લિંબાયત વિસ્તારમાં નવજાત બાળકીનો મૃતદેહ કચરાના ઢગલામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે

New Update
સુરત: કચરાના ઢગલામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે શરૂ કરી તપાસ

સુરતના લિંબાયત વિસ્તારમાં નવજાત બાળકીનો મૃતદેહ કચરાના ઢગલામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં 3 કલાક પહેલાં જન્મેલી બાળકીને નિષ્ઠુર જનેતાએ કચરાના ઢગલાંમાં નાખી દેતા મૃત હાલતમાં મળી આવી હતી. લિંબાયતના ગણેશનગર-1 કંઠી મહારાજથી રામ મંદીર જવાના રસ્તા ઉપરથી મળી આવેલા બાળકીના મૃતદેહને જોઈ લોકોએ જનેતા સામે ફિટકાર વરસાવ્યો હતો. બાળકીનો મૃતદેહ કચરાના ઢગલા પર પડેલો હતો અને લોકો વીડિયો-ફોટો બનાવી રહ્યા હતા. જોકે ઘટનાને લઈ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી. લિંબાયત પોલીસે જણાવ્યું હતું કે, બાળકીનો મૃતદેહ રોડ ડીવાઇડરની બાજુમાં કચરાના ઢગલામાં પેપરની અંદર વિટળાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

તપાસમાં એક તાજું જન્મેલુ ગર્ભનાળ સાથે જોડાયલું નવજાત બાળકને જોઈ એક સિક્યુરિટી ગાર્ડે પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસને જાણ થઈ હતી. પી.સી.આર વાનના કાર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઇ 108ની મદદથી નવજાત બાળકના મૃતદેહ ને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. આ નવજાત બાળકીને જન્મ પહેલા કે જન્મ પછી કે જન્મ વખતે મુત્યુ થયું હોય કે પછી જન્મ બાદ પાપ છુપાવવા કે ગુપ્ત રીતે મૃતદેહનો નિકાલ કરવા માટે બાળકીના મૃતદેહને ત્યજી દેવાયું હોય એ તપાસનો વિષય છે. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

Latest Stories