સુરત : ધાબા પર સૂવા જવાના ઝઘડામાં પિતાએ દીકરીને છરાના 25 ઘા મારી પતાવી દીધી, ઘટના CCTVમાં કેદ...

પિતાએ જ જુવાનજોધ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કડોદરાના સત્યમ નગરમાં રામાનુજ શાહુએ છત પર સૂવા બાબતે પત્ની રેખાદેવી સાથે ઝઘડો કર્યો હતો

New Update
સુરત : ધાબા પર સૂવા જવાના ઝઘડામાં પિતાએ દીકરીને છરાના 25 ઘા મારી પતાવી દીધી, ઘટના CCTVમાં કેદ...

સુરતના કડોદરામાં માત્ર સૂવા બાબતે થયેલા ઝઘડામાં પિતા એટલા ક્રૂર થઈ ગયા હતા કે, મટન કાપવાના છરાથી દીકરીને હાથ અને ચહેરા પર 25 જેટલા ઘા મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે માતા અને 3 દીકરાને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કડોદરા પોલીસે CCTV ફૂટેજના આધારે હત્યારા પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના કડોદરામાં ગત તા. 18મી મેના રોજ એક પિતાએ જ દીકરીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ધાબા પર નહીં, પરંતુ ઘરમાં સૂવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાના કરુણ અંજામમાં પિતાએ જ જુવાનજોધ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કડોદરાના સત્યમ નગરમાં રામાનુજ શાહુએ છત પર સૂવા બાબતે પત્ની રેખાદેવી સાથે ઝઘડો કર્યો હતો.

ઝઘડો ઉગ્ર બનતા છરા વડે રામાનુજે પત્ની પર હુમલો કરવા જતાં બચાવવા પડેલી 19 વર્ષીય પુત્રી ચંદાકુમારીને છરા વડે 25થી વધુ ઘા મારી હત્યા કરી હતી. ઘટનાના પગલે બિલ્ડિંગમાં રહેતા લોકો એકત્રિત થઈ જઇ રામાનુજને આંતરવાનો પ્રયાસ કરતાં તે ભાગી છૂટ્યો હતો. જોકે, બનાવના CCTV ફૂટેજ લોકોને હચમચાવી નાખે તેવાં છે, ત્યારે હાલ તો કડોદરા પોલીસે ચપ્પુ લઈ ફરાર રામાનુજની જોળવાથી કડોદરા તરફ જતાં રોડ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્વની કરાઈ ઉજવણી

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી..

New Update
  • શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં યોજાયો કાર્યક્રમ   

  • કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્વની ઉજવણી

  • ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

  • બાળકોનો કુમકુમ પગલે શાળામાં પ્રવેશ

  • તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેનજિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા,જયારે શાળાનું પ્રથમ પગથિયું ચઢતા નાના ભુલકાઓને કુમકુમ તિલક કરી અને કુમકુમ પગલા સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.