સુરત : જેલમાંથી કોલેજની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓની માર્કશીટ પર પરીક્ષા કેન્દ્રનું નામ નહીં લખાશે, જાણો કેમ..!

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જેલમાં રહીને એક્સટર્નલ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે.

New Update
સુરત : જેલમાંથી કોલેજની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓની માર્કશીટ પર પરીક્ષા કેન્દ્રનું નામ નહીં લખાશે, જાણો કેમ..!

સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જેલમાં રહીને એક્સટર્નલ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત એક્સટર્નલ કોર્સમાં ડિગ્રી લેનાર વિદ્યાર્થીઓની માર્કશીટમાં પરીક્ષા કેન્દ્રનું નામ નહીં રાખવાનો નિર્ણય એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવ્યો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા એક્સટર્નલ ડિગ્રી કોર્સમાં બી.એ. એમ.એ બી.કોમ અને એમ.કોમના એક્સટર્નલ કોર્સમાં યુનિવર્સિટી સંલગ્ન હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પરીક્ષા આપતા હોય છે. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સુરત શહેરની લાજપોર જેલમાં ગુના હેઠળ સજા કાપતા હોય છે, અને આ વિદ્યાર્થીઓ જેલમાં રહીને જ આ એક્સટર્નલ કોર્ષની પરીક્ષા જેલમાંથી જ આપતા હોય છે, જ્યારે તેમનું રીઝલ્ટ આવે છે, ત્યારે તેમની માર્કશીટમાં યુનિવર્સિટીના નિયમ પ્રમાણે પરીક્ષા કેન્દ્રનું નામ લખાઈને આવે છે. આ પરીક્ષા કેન્દ્રના નામમાં લાજપોર જેલ લખેલું આવતું હોવાથી આ વિદ્યાર્થીઓ. જ્યારે જેલમાંથી છૂટીને કોઇક નોકરી મેળવવા માટે એપ્લાય કરે છે, ત્યારે નોકરી મેળવવાના સમયે તેમની માર્કશીટમાં લખેલ લાજપોર જેલના કારણે તેમને નોકરી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. જેના કારણે યુનિવર્સિટીએ હવેથી એક્સટર્નલના કોર્સમાં ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓની માર્કશીટમાં પરીક્ષાના કેન્દ્રનો ઉલ્લેખ નહીં કરવાનો નિર્ણય લીધો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના જણાવ્યા પ્રમાણે હવેથી એક્સટર્નલ કોર્ષમાં પરીક્ષાની હોલ ટીકીટમાં જ કેન્દ્રનું નામ આવશે તેવો નિર્ણય કુલપતિની અધ્યક્ષતામાં બનેલી કમિટી દ્વારા લેવાયો છે.

Latest Stories
Read the Next Article

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.

 

Latest Stories