સુરત : એકમાત્ર એવું રામ મંદિર કે, જ્યાં મુર્તિ નહીં, પણ 1100 કરોડ “શ્રી રામનામ મંત્ર” લખેલા પુસ્તકની સ્થાપના...

આજરોજ રામ નવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે છે, જ્યાં મૂર્તિ નહીં પણ પુસ્તકોની સ્થાપના કરાય છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

New Update
  • દેશભરમાં કરાય રહી છે રામ નવમીની આસ્થાભેર ઉજવણી

  • સુરતમાં આવેલું છે ભગવાન શ્રી રામનું અનોખું રામ મંદિર

  • આ રામ મંદિર મૂર્તિ નહીં પણ કરાય છે પુસ્તકોની સ્થાપના

  • 1100 કરોડ શ્રી રામનામ મંત્રના પુસ્તકની કરાય છે સ્થાપના

  • રામનવમીએ શ્રી રામ મંદિરે દર્શન કરી ભક્તો ધન્ય થયા

Advertisment W3.CSS

આજરોજ રામ નવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે છેજ્યાં મૂર્તિ નહીં પણ પુસ્તકોની સ્થાપના કરાય છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

આજે તા. 6 એપ્રિલ રામ જન્મોત્સવ એટલે કેરામનવમીનો પવિત્ર પર્વ છે. ત્રેતાયુગમાંરાજા દશરથે સંતાન પ્રાપ્તિની ઇચ્છાથી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞના કારણે ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન વિષ્ણુનો રામના અવતારમાં રાજા દશરથના ઘરે જન્મ થયો. રામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર છે. રામનવમી પર રામાયણનો પાઠ કરવાની પરંપરા છે. મોટાભાગના લોકો માટે સમયના અભાવે આખું રામાયણ વાંચવું શક્ય નથીતેથી જે લોકો રામાયણ વાંચવા માંગે છેતેઓ રામાયણનો એક શ્લોક વાંચીને આખું રામાયણ વાંચવાનું પુણ્ય મેળવી શકે છેત્યારે આજે રામ નવમીના દિવસે અમે તમને અનોખા રામ મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યા છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલ રોડ કેબલ બ્રિજ ભગવાન શ્રી રામનું મંદિર આવેલું છે. આ મંદિરમાં 1100 કરોડ રામ મંત્રની પુસ્તકની સ્થાપના કરવામાં આવી છે. 125 કરોડ શ્રી રામ મંત્ર લેખનના ટાર્ગેટ સાથે વર્ષ 2017માં આ મંદિરની સ્થાપના કરાય હતી. જેમાં દક્ષિણ ગુજરાતમાં 150થી વધુ મંદિરોમાં ભક્તોને રામ” નામ લખવા માટે ડાયરી અને પેન નિ:શુલ્ક આપવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાએથી આજદિન સુધીમાં 1100 કરોડ રામ મંત્રની પુસ્તક લખવામાં આવી છેજેની સ્થાપના આ રામનામ મંદિરમાં કરવામાં આવી છે. આ સાથે જ રામનામ મંદિરની મધ્યમાં 51 ફૂટ ઉંચો પંચધાતુનો રામ સ્તંભ છેજે અહી આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છેત્યારે આજરોજ રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી રામનામ મંદિર ખાતે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

Read the Next Article

સુરત: બાંધકામ સાઇટ પર માતાની નજર સામે શ્વાન એક વર્ષની બાળકીને ખેંચી ગયું, પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ શરૂ કરી

સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.

New Update
  • સુરતના કામરેજનો ચકચારી બનાવ

  • વાવ ગામે શ્વાન બાળકીને ખેંચી ગયું

  • માતા રસોઈ બનાવતી હતી એ દરમ્યાન બની ઘટના

  • હજુ સુધી બાળકીનો કોઈ પત્તો નહીં

  • પોલીસે ડ્રોન કેમેરાની લીધી મદદ

Advertisment W3.CSS
સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.કલાકોથી પોલીસ દ્વારા માસુમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી ત્યારે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે.
સુરત જિલ્લાના કામરેજના વાવ ગામ ખાતે રહેતા આંજુભાઈ તથા તેની પત્ની તીતાબેન મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા છે.હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટમાં કામ કરે છે અને ત્યાં જ ઝુંપડું બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે. મધ્યપ્રદેશમાં વતનમાં કામ હોવાથી આંજુભાઈ કામ અર્થે વતન ગયા હતા. આ દરમિયાન પત્ની તીતાબેન ગતરોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યાના અરસામાં તેની માસુમ પુત્રી સાથે ઘરે બેઠી હતી.તીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે તેની એક વર્ષની પુત્રી માયાને બાજુમાં સુવડાવી હતી. આ દરમિયાન અચાનક જ એક શ્વાન દોડીને તેમની પાસે આવ્યું હતું અને તીતાબેનની નજર સામે જ એક વર્ષની બાળકી માયાને ખેંચીને ડોટ લગાવી હતી. જેથી તીતાબેન તેની પાછળ દોડી ગયા હતા અને બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા ૧૦૦ થી વધુ મજૂરો પણ શ્વાનની પાછળ ડોટ મૂકી હતી. શ્વાન આજુબાજુના ખેતરોમાંથી ભાગી ગયો હતો.
પોલીસે બાળકીને શોધવા ફાયર બ્રિગેડ અને ડોગ સ્કોડની પણ મદદ દીધી હતી. સવારથી ડોગ સ્કોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી શ્વાન માસુમ બાળકીને કઈ બાજુ લઈને ભાગી ગયું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે .છતાં હજુ સુધી બાળકીનો કોઈ પતો મળ્યો નથી.પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે.ઝાડી ઝાંખરામાં ડ્રોન થી ચર્ચ કરવામાં આવી રહ્યું છે.ઝડપથી બાળકીનો પત્તો લાગી સહી સલામત મળે તેવી પ્રાર્થના સ્થાનિકો કરી રહ્યા છે.