સુરત : એકમાત્ર એવું રામ મંદિર કે, જ્યાં મુર્તિ નહીં, પણ 1100 કરોડ “શ્રી રામનામ મંત્ર” લખેલા પુસ્તકની સ્થાપના...

આજરોજ રામ નવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે છે, જ્યાં મૂર્તિ નહીં પણ પુસ્તકોની સ્થાપના કરાય છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

New Update
  • દેશભરમાં કરાય રહી છે રામ નવમીની આસ્થાભેર ઉજવણી

  • સુરતમાં આવેલું છે ભગવાન શ્રી રામનું અનોખું રામ મંદિર

  • આ રામ મંદિર મૂર્તિ નહીં પણ કરાય છે પુસ્તકોની સ્થાપના

  • 1100 કરોડ શ્રી રામનામ મંત્રના પુસ્તકની કરાય છે સ્થાપના

  • રામનવમીએ શ્રી રામ મંદિરે દર્શન કરી ભક્તો ધન્ય થયા

આજરોજ રામ નવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે છેજ્યાં મૂર્તિ નહીં પણ પુસ્તકોની સ્થાપના કરાય છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

આજે તા. 6 એપ્રિલ રામ જન્મોત્સવ એટલે કેરામનવમીનો પવિત્ર પર્વ છે. ત્રેતાયુગમાંરાજા દશરથે સંતાન પ્રાપ્તિની ઇચ્છાથી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞના કારણે ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન વિષ્ણુનો રામના અવતારમાં રાજા દશરથના ઘરે જન્મ થયો. રામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર છે. રામનવમી પર રામાયણનો પાઠ કરવાની પરંપરા છે. મોટાભાગના લોકો માટે સમયના અભાવે આખું રામાયણ વાંચવું શક્ય નથીતેથી જે લોકો રામાયણ વાંચવા માંગે છેતેઓ રામાયણનો એક શ્લોક વાંચીને આખું રામાયણ વાંચવાનું પુણ્ય મેળવી શકે છેત્યારે આજે રામ નવમીના દિવસે અમે તમને અનોખા રામ મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યા છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલ રોડ કેબલ બ્રિજ ભગવાન શ્રી રામનું મંદિર આવેલું છે. આ મંદિરમાં 1100 કરોડ રામ મંત્રની પુસ્તકની સ્થાપના કરવામાં આવી છે. 125 કરોડ શ્રી રામ મંત્ર લેખનના ટાર્ગેટ સાથે વર્ષ 2017માં આ મંદિરની સ્થાપના કરાય હતી. જેમાં દક્ષિણ ગુજરાતમાં 150થી વધુ મંદિરોમાં ભક્તોનેરામ” નામ લખવા માટે ડાયરી અને પેન નિ:શુલ્ક આપવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાએથી આજદિન સુધીમાં 1100 કરોડ રામ મંત્રની પુસ્તક લખવામાં આવી છેજેની સ્થાપના આ રામનામ મંદિરમાં કરવામાં આવી છે. આ સાથે જ રામનામ મંદિરની મધ્યમાં 51 ફૂટ ઉંચો પંચધાતુનો રામ સ્તંભ છેજે અહી આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છેત્યારે આજરોજ રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી રામનામ મંદિર ખાતે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

સુરત : ઉધના રેલવે સ્ટેશન પરથી ATSની ટીમે રૂ.1.59 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે એક શખ્સની કરી ધરપકડ,કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

New Update
  • બનાવટી ચલણી નોટનો મામલો

  • આર્થિક તંત્રને ખોખલું કરવાનો મનસૂબો

  • ઉધના રેલવે સ્ટેશન પરથી ઝડપાય નોટ

  • ATSએ કરી એક શખ્સની ધરપકડ

  • કોર્ટે આરોપીને આપ્યા રિમાન્ડ મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદATS500રૂપિયાના દરની કુલ1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના ડરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું પણ નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી10દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી,પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અમદાવાદATSને મળેલી બાતમી અનુસાર સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી500રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. તેનો મુખ્ય ઇરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો.