સુરત : એકમાત્ર એવું રામ મંદિર કે, જ્યાં મુર્તિ નહીં, પણ 1100 કરોડ “શ્રી રામનામ મંત્ર” લખેલા પુસ્તકની સ્થાપના...

આજરોજ રામ નવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે છે, જ્યાં મૂર્તિ નહીં પણ પુસ્તકોની સ્થાપના કરાય છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

New Update
  • દેશભરમાં કરાય રહી છે રામ નવમીની આસ્થાભેર ઉજવણી

  • સુરતમાં આવેલું છે ભગવાન શ્રી રામનું અનોખું રામ મંદિર

  • આ રામ મંદિર મૂર્તિ નહીં પણ કરાય છે પુસ્તકોની સ્થાપના

  • 1100 કરોડ શ્રી રામનામ મંત્રના પુસ્તકની કરાય છે સ્થાપના

  • રામનવમીએ શ્રી રામ મંદિરે દર્શન કરી ભક્તો ધન્ય થયા

આજરોજ રામ નવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે છેજ્યાં મૂર્તિ નહીં પણ પુસ્તકોની સ્થાપના કરાય છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

આજે તા. 6 એપ્રિલ રામ જન્મોત્સવ એટલે કેરામનવમીનો પવિત્ર પર્વ છે. ત્રેતાયુગમાંરાજા દશરથે સંતાન પ્રાપ્તિની ઇચ્છાથી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞના કારણે ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન વિષ્ણુનો રામના અવતારમાં રાજા દશરથના ઘરે જન્મ થયો. રામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર છે. રામનવમી પર રામાયણનો પાઠ કરવાની પરંપરા છે. મોટાભાગના લોકો માટે સમયના અભાવે આખું રામાયણ વાંચવું શક્ય નથીતેથી જે લોકો રામાયણ વાંચવા માંગે છેતેઓ રામાયણનો એક શ્લોક વાંચીને આખું રામાયણ વાંચવાનું પુણ્ય મેળવી શકે છેત્યારે આજે રામ નવમીના દિવસે અમે તમને અનોખા રામ મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યા છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલ રોડ કેબલ બ્રિજ ભગવાન શ્રી રામનું મંદિર આવેલું છે. આ મંદિરમાં 1100 કરોડ રામ મંત્રની પુસ્તકની સ્થાપના કરવામાં આવી છે. 125 કરોડ શ્રી રામ મંત્ર લેખનના ટાર્ગેટ સાથે વર્ષ 2017માં આ મંદિરની સ્થાપના કરાય હતી. જેમાં દક્ષિણ ગુજરાતમાં 150થી વધુ મંદિરોમાં ભક્તોનેરામ” નામ લખવા માટે ડાયરી અને પેન નિ:શુલ્ક આપવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાએથી આજદિન સુધીમાં 1100 કરોડ રામ મંત્રની પુસ્તક લખવામાં આવી છેજેની સ્થાપના આ રામનામ મંદિરમાં કરવામાં આવી છે. આ સાથે જ રામનામ મંદિરની મધ્યમાં 51 ફૂટ ઉંચો પંચધાતુનો રામ સ્તંભ છેજે અહી આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છેત્યારે આજરોજ રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી રામનામ મંદિર ખાતે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

સુરત : આપ અને કોંગ્રેસ MLA દ્વારા DGVCL કચેરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ,રાજકીયક્ષેત્રે બન્યો ચર્ચાનો વિષય

સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

New Update
  • DGVCLની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

  • આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

  • ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે જોડાયા

  • આપ અને કોંગ્રેસMLA એક સાથે રહેતા ચર્ચા

  • DGVCL વિરુદ્ધ ઉગ્ર સૂત્ર ચાર કરી વિરોધ દર્શાવ્યો

સુરતમાંDGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાMLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.જે ઘટના રાજકીય ક્ષેત્રે ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની હતી.

સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના ધારાસભ્યો એક બીજા સાથે મળીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.

5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. આ મુદ્દે આદિવાસી નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલીDGVCLની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના યુવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એક સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત DGVCL ખાતે આપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા એક જૂથ થઈને ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ પ્રદર્શન બાદ વીજ કંપનીના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા,અને ઉમેદવારોને નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.તેમજ 35 ઉમેદવારોને આવતીકાલે નોકરી આપવામાં આવશે અને અન્યને ઓગસ્ટ સુધીમાં તબક્કા વાઈઝ નોકરી મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં મહેકમની જગ્યાઓ જે આઉટસોર્સિંગથી ભરવાની છે,તેમાં પણ આ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.