સુરત: ઉમરા વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં થયેલી રૂ.1.50 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે પાંચ ટીમ બનાવી હતી,જેમાં 12 PSI સાથે 80 પોલીસ જવાનો તપાસમાં જોડાયા હતા,અને પોલીસે 500 વધારે CCTVના  ફૂટેજ તપસ્યા હતા

New Update

સુરતના ઉમરામાં જવેલર્સની દુકાનમાં ચોરીનો મામલો

રૂપિયા 1.50 કરોડના મુદ્દામાલની થઇ હતી ચોરી 

પોલીસે ચોરીનો ઉકેલ્યો ભેદ 

પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

12 PSI સહિત 80 પોલીસ જવાન તપાસમાં જોડાયા હતા 

  
સુરત શહેરના ઉમરા ખાતે આવેલ જવેલર્સની દુકાનમાંથી રૂપિયા 1.50 કરોડના મુદ્દામાલની ચોરી થઇ હતી,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે,અને સીકલીગર ગેંગના ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી છે.
સુરત શહેરના ઉમરા ખાતે આવેલ એક જવેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપીને તસ્કરોએ હાહાકાર મચાવ્યો હતો,અને રૂપિયા 1.50 કરોડના મુદ્દામાલની ચોરી કરીને ચોર ટોળકી ફરાર થઇ હતી.આ ઘટનામાં ચોર દુકાનના CCTV કેમેરાનું DVR પણ ચોરીને સાથે લઇ ગયા હતા.
આ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે પાંચ ટીમ બનાવી હતી,જેમાં 12 PSI સાથે 80 પોલીસ જવાનો તપાસમાં જોડાયા હતા,અને પોલીસે 500 વધારે CCTVના  ફૂટેજ તપસ્યા હતા,અને તલસ્પર્શી તપાસ કરીને આખરે પોલીસને ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી.
પોલીસે સીકલીગર ગેંગના ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા,જેમાં પોલીસે મુખ્ય આરોપી સસપાલસીંગ તારાસીંગ કલાણીને મુંબઈના થાણે ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો,જ્યારે બીજો આરોપી શેરૂસીગ કાલુસીંગ તીલપીતીયાને ખંભાતથી જ્યારે ત્રીજા આરોપી કરનાલસીંગ પીલુસીંગ હરીસીંગને ભરૂચ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
ત્રણ આરોપીઓની ધરપકડ સાથે પોલીસે સોનાની લગડી, સોનાના દાગીના,રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.