સુરત : ચોર મહાકુંભમાં ગયો અને પોલીસને મળી બાતમી,31 વર્ષથી ચોરી કરીને ફરાર આરોપીની દિલ્હીથી ધરપકડ

સુરતના રાંદેરમાં વર્ષ 1995માં મહાવીર પેટ્રોલ પંપ માંથી રૂપિયા 51000ની ચોરી થઇ હતી,જે ઘટનામાં 31 વર્ષથી ફરાર ચોર મહાકુંભમાં ગયો હોવાની બાતમી પોલીસને મળી હતી,

New Update
  • સુરતનો ચોર દિલ્હીથી ઝડપાયો

  • 31 વર્ષ પહેલા રાંદેરમાં પેટ્રોલ પંપમાં કરી હતી ચોરી

  • રાંદેર પોલીસને ચોર અંગે મળી હતી બાતમી  

  • મહાકુંભ માંથી દિલ્હી જતા પોલીસે કરી ધરપકડ

  • આરોપી નામ અને ઓળખ બદલીને રહેતો હતો

Advertisment

સુરતના રાંદેરમાં વર્ષ 1995માં મહાવીર પેટ્રોલ પંપ માંથી રૂપિયા 51000ની ચોરી થઇ હતી,જે ઘટનામાં 31 વર્ષથી ફરાર ચોર મહાકુંભમાં ગયો હોવાની બાતમી પોલીસને મળી હતી,અને આરોપીને પોલીસે દિલ્હીથી દબોચી લીધો હતો.

સુરતના રાંદેરમાં વર્ષ 1995માં મહાવીર પેટ્રોલ પંપ માંથી રૂપિયા 51000ની ચોરી થઇ હતી.ચોરીને અંજામ આપીને શિવ બહાદુર ઉદયપાલ રાજપુત ફરાર થઇ ગયો હતો.જોકે પ્રયાગરાજ મહાકુંભમાં આ ચોર સ્નાન કરવા માટે આવ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.તેથી રાંદેર પોલીસની ટીમે ગુપ્તરાહે મહાકુંભમાં જઈને વોચ ગોઠવી હતી,પરંતુ આરોપી મહાકુંભમાંથી દિલ્હી જવા નીકળી ગયો હતો,જે અંગેની માહિતી મળતા જ પોલીસ તેની પાછળ લાગી ગઈ હતી,અને આખરે દિલ્હીથી આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી,પોલીસ તપાસમાં આરોપી 31 વર્ષથી નામ અને ઓળખ બદલીને રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.  

 

Advertisment
Read the Next Article

સુરત : બે’રોજગાર રત્ન કલાકારોના બાળકોની 1 વર્ષની શિક્ષણ ફી રાજ્ય સરકાર ચૂકવશે : હર્ષ સંઘવી

રાજ્યમાં બેરોજગાર રત્ન કલાકારોના આપઘાતની ઘટના અને હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને ડામવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો બેરોજગાર રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત સરકારે કરી

New Update
  • બેરોજગાર રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત

  • રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકો માટે નિર્ણય

  • રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તૃત માહિતી આપી

  • રત્ન કલાકારોના બાળકોની 1 વર્ષની શિક્ષણ ફી ચૂકવાશે

  • નાના ઉદ્યોગોને લોન પર 9% 3 વર્ષ સુધી વ્યાજ સહાય 

Advertisment

રાજ્યમાં બેરોજગાર રત્ન કલાકારોના આપઘાતની ઘટના અને હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને ડામવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છેત્યારે સુરત ખાતેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છેજેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગત તા. 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. આ મિટિંગના 74 દિવસ બાદ આખરે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કેરત્ન કલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે. આ ફી સરકાર DBT મારફત ટ્રાન્સફર કરશેજ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યૂટીમાં એક વર્ષની રાહત અપાશે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કેકોઈપણ રત્ન કલાકારોને નોકરી મેળવવા માટે અવ્યવસ્થા ન થાય તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે તેજી-મંદી વેપારનો ભાગ છે. મંદી પણ દૂર થશેજ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે રત્ન કલાકારોને રાહત આપવા આ નિર્ણય લીધો છે. જેમાં તા. 31 માર્ચ-2024 પછી કામ ન મળ્યું હોય તેમજ જેમને છુટા કર્યા હોય તેવા રત્ન કલાકારોને સરકારની સહાયનો લાભ મળશે.

Advertisment