સુરત : ચોર મહાકુંભમાં ગયો અને પોલીસને મળી બાતમી,31 વર્ષથી ચોરી કરીને ફરાર આરોપીની દિલ્હીથી ધરપકડ

સુરતના રાંદેરમાં વર્ષ 1995માં મહાવીર પેટ્રોલ પંપ માંથી રૂપિયા 51000ની ચોરી થઇ હતી,જે ઘટનામાં 31 વર્ષથી ફરાર ચોર મહાકુંભમાં ગયો હોવાની બાતમી પોલીસને મળી હતી,

New Update
  • સુરતનો ચોર દિલ્હીથી ઝડપાયો

  • 31 વર્ષ પહેલા રાંદેરમાં પેટ્રોલ પંપમાં કરી હતી ચોરી

  • રાંદેર પોલીસને ચોર અંગે મળી હતી બાતમી  

  • મહાકુંભ માંથી દિલ્હી જતા પોલીસે કરી ધરપકડ

  • આરોપી નામ અને ઓળખ બદલીને રહેતો હતો

સુરતના રાંદેરમાં વર્ષ 1995માં મહાવીર પેટ્રોલ પંપ માંથી રૂપિયા 51000ની ચોરી થઇ હતી,જે ઘટનામાં 31 વર્ષથી ફરાર ચોર મહાકુંભમાં ગયો હોવાની બાતમી પોલીસને મળી હતી,અને આરોપીને પોલીસે દિલ્હીથી દબોચી લીધો હતો.

સુરતના રાંદેરમાં વર્ષ 1995માં મહાવીર પેટ્રોલ પંપ માંથી રૂપિયા 51000ની ચોરી થઇ હતી.ચોરીને અંજામ આપીને શિવ બહાદુર ઉદયપાલ રાજપુત ફરાર થઇ ગયો હતો.જોકે પ્રયાગરાજ મહાકુંભમાં આ ચોર સ્નાન કરવા માટે આવ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.તેથી રાંદેર પોલીસની ટીમે ગુપ્તરાહે મહાકુંભમાં જઈને વોચ ગોઠવી હતી,પરંતુ આરોપી મહાકુંભમાંથી દિલ્હી જવા નીકળી ગયો હતો,જે અંગેની માહિતી મળતા જ પોલીસ તેની પાછળ લાગી ગઈ હતી,અને આખરે દિલ્હીથી આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી,પોલીસ તપાસમાં આરોપી 31 વર્ષથી નામ અને ઓળખ બદલીને રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.  

 

Read the Next Article

સુરત : સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના 14માંથી 4 મશીન બંધ, દર્દીઓને 5 કલાક રાહ જોવાનો વારો આવ્યો..!

સિવિલ હોસ્પિટલમાં રોજ OPD બેઝ પર ડાયાલિસિસ કરાવવા માટે 25થી 30 જેટલા દર્દીઓ આવે છે. આ ઉપરાંત દાખલ દર્દીઓનું પણ ડાયાલિસિસ અહીં જ કરાવવામાં આવે છે.

New Update
  • શહેરની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકી

  • ડાયાલિસિસના 14માંથી 4 મશીનો કેટલાક સમયથી બંધ

  • રોજ સરેરાશ 5 દર્દીઓ 5 કલાક સુધી રાહ જોવા મજબૂર

  • 4 મશીનોમાં R/O સહિતની સામાન્ય ખામી સર્જાય : RMO

  • વહેલી તકે તમામ મશીનો કાર્યરત થઈ જશે : કેતન નાયક 

સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના 14માંથી 4 મશીનો બંધ હોવાથી રોજ સરેરાશ 5 દર્દીઓ 5 કલાક સુધી રાહ જોવા મજબૂર બન્યા છે. સુરત શહેરની સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં ચોથા માળે ડાયાલિસિસ વિભાગમાં 14 મશીનો મુકવામાં આવ્યા છે. જોકેતેમાંથી 2 મશીન ચેપી રોગના દર્દીઓ માટેના છેઅને તે સિવાયના 12 મશીન પૈકી 4 મશીન અલગ-અલગ ખામીઓના કારણે છેલ્લા કેટલાક સમયથી બંધ અવસ્થામાં છે. સિવિલ હોસ્પિટલમાં રોજ OPD બેઝ પર ડાયાલિસિસ કરાવવા માટે 25થી 30 જેટલા દર્દીઓ આવે છે. આ ઉપરાંત દાખલ દર્દીઓનું પણ ડાયાલિસિસ અહીં જ કરાવવામાં આવે છે. હાલ 4 મશીનો બંધ હોવાથી દર્દીઓને 5 કલાક સુધી રાહ જોવી પડી રહી છે.

સમગ્ર મામલે તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે4 મશીનોમાં R/O સહિતની સામાન્ય ખામી સર્જાય છેજે બાબતે મેઈન્ટેનન્સ કરવા કહી દેવાયું છે. હાલ રિપેરિંગ કામગીરી ચાલી રહી છેઅને વહેલી તકે તમામ મશીનો કાર્યરત થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કેતમામ મશીનો ચાલુ હોય ત્યારે રોજના 30 ડાયાલિસિસ થતા હતા. તેની સામે હાલ 4 મશીન બંધ હોવાથી 25 જેટલા દર્દીઓના જ ડાયાલિસિસ થઈ રહ્યા છે. જેથી 4થી 5 ડાયાલિસિસના દર્દીઓને 5 કલાક સુધી રાહ જોવાનો વારો આવી રહ્યો છે.