સુરત : PM મોદીના જન્મદિવસની ઉજવણી, ભારતીય જૈન સંગઠને દિવ્યાંગોને કીટ વિતરણ કર્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ભારતીય જૈન સંગઠને દિવ્યાંગોને કીટ વિતરણ કરી

New Update
સુરત : PM મોદીના જન્મદિવસની ઉજવણી, ભારતીય જૈન સંગઠને દિવ્યાંગોને કીટ વિતરણ કર્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતની મહાવીર કોલેજ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોષની અધ્યક્ષતામાં ભારતીય જૈન સંગઠન દ્વારા દિવ્યાંગોને ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ છે. દેશભરમાં લોકો સેવાકીય કાર્યક્રમ યોજી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે, ત્યારે સુરતના વેસુ-વીઆઈપી રોડ ખાતે આવેલ મહાવીર કોલેજ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોષની અધ્યક્ષતામાં ભારતીય જૈન સંગઠન દ્વારા દિવ્યાંગોને ઉપયોગી કીટ વિતરણ કરાય હતી. જેમાં સંસ્થા દ્વારા 46 વ્હીલ ચેર, 37 બગલ ઘોડી, 400 કાનના મશીન સહિત 500થી વધુ લાભાર્થીઓને જરૂરી સાધનો વિતરણ કરવામાં આવ્યું હતું.

Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

Latest Stories