Connect Gujarat
સુરત 

સુરત : કામરેજમાં એમ્બ્રોઇડરીનું મશીન ફેરવતી વખતે વીજકરંટ લાગતાં, બે કારીગરોનાં એક ઝાટકે મોત થયાં

કરંટ લાગતા જ કારીગર કારખાનામાં ઢળી પડ્યા હતા. જેને લઈ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે બન્ને કારીગરને મૃત જાહેર કર્યા

સુરત : કામરેજમાં એમ્બ્રોઇડરીનું મશીન ફેરવતી વખતે વીજકરંટ લાગતાં, બે કારીગરોનાં એક ઝાટકે મોત થયાં
X

સુરતના કામરેજ સ્થિત ખોલવડ ગામમાં આવેલા અમૃત ઉદ્યોગનગરમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં બે કારીગરોને કરંટ લાગતા મોત નીપજ્યું છે. એમ્બ્રોઇડરી મશીનના કાપડની ફેરબદલી માટે મશીનના એક ભાગને બારીની બહાર કાઢવા જતા મશીનનો એક ભાગ બારીની બહાર હાઈટેન્શનની લાઈનને અડી જતા બન્ને કારીગરને કરંટ લાગ્યો હતો. આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કરંટ લાગતા જ કારીગર કારખાનામાં ઢળી પડ્યા હતા. જેને લઈ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે બન્ને કારીગરને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ સમગ્ર મામલે કામરેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story