સુરત : સૈયદપુરા ગણપતિ પંડાલ પર પથ્થરમારામાં 23 આરોપીઓના બે દિવસના કોર્ટે રિમાન્ડ કર્યા મંજુર

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને ગણેશજીની મૂર્તિ ખંડિત કરવાની ઘટના બાદ કોમી તંગદિલી વ્યાપી ગઈ હતી,આ ઘટનામાં પોલીસે 27 આરોપીઓની ધરપકડ કરી હતી,

New Update

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને ગણેશજીની મૂર્તિ ખંડિત કરવાની ઘટના બાદ કોમી તંગદિલી વ્યાપી ગઈ હતી,આ ઘટનામાં પોલીસે 27 આરોપીઓની ધરપકડ કરી હતી,જેમાં કોર્ટે 23 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જ્યારે 4 આરોપીઓને સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે. 

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી,અને ત્યારબાદ કોમી તંગદિલી વ્યાપી ગઈ હતી.આ ઘટનામાં પોલીસે 27 આરોપીઓની ધરપકડ કરી હતી.અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.પોલીસે આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી.જેમાં કોર્ટે 27 પૈકી 23 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જ્યારે 4 આરોપીઓને સારવાર હેઠળ ખસેડ્યા હતા.જાણવા મળ્યા મુજબ આરોપી અશરફ અંસારી દિવ્યાંગ છે અને એક આરોપીને શ્વાસની બીમારી છે,અન્ય 2 આરોપીઓ સહિત 4 આરોપીને મેડિકલ સારવાર માટે કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા.જ્યારે બાળકોને આગળ કરી આ પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં કોનો દોરી સંચાર છે,તે ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.