સુરત : વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને આવાસની ફાળવણી કરાય...

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરતના છાપરાભાઠા સ્થિત આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી હતી.

New Update

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના

છાપરાભાઠા સ્થિત આવાસોનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો

રાજ્યના વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી

આ સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજના છે : મુકેશ પટેલ

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરતના છાપરાભાઠા સ્થિત આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી હતી.

સુરતના મોટા વરાછા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે EWS-1 અને EWS-2 હેઠળ 111 આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો. આ અંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કેદરેક પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન હોય છે. સામાન્ય પરિવારનો મોભી પોતાનું સમગ્ર જીવન દરમિયાન મહેનત કરતો હોય છે. પરંતુ ઘરનું સ્વપ્ન પૂર્ણ કરી શકતો નથી. પરંતુ વડાપ્રધાનના પરિણામે લાખો પરિવારોના સ્વપ્ન પરિપૂર્ણ થઈ રહ્યા છે. દેશમાં સૌ પ્રથમ નદી કિનારે વસતા હજારો પરિવારોને પાકી છત આપવાનું કાર્ય સરકારે કર્યું છે. વધુમાં તેમને જણાવ્યું કહ્યું હતું કેસરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા અનેક યોજનાનો લાભ સીધો જ લાભાર્થીના બેન્ક ખાતામાં મળતો થયો છે. આ સાથે આરોગ્યશિક્ષણરાશનઆવાસવિજળી સહિત પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.