સુરત :  મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ હિંસક મારામારી,છ લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ

સુરતના મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ બે જૂથ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં જાહેરમાં હિંસક મારામારી સર્જાય હતી,જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.

New Update
  • સુરતના મહિધરપુરા વિસ્તારની ઘટના

  • બાળકોના ઝઘડાએ લીધું ઉગ્ર સ્વરૂપ

  • બે જૂથ વચ્ચે થઈ હિંસક મારામારી

  • ઘટનામાં છ લોકો થયા ઇજાગ્રસ્ત

  • પોલીસે રાયોટીંગનો ગુન્હો કર્યો દર્જ 

સુરતના મહિધરપુરામાં બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ હિંસક મારામારીની ઘટના સર્જાઈ હતી. જેમાં છ લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં પોલીસે રાયોટીંગનો ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી છે.

સુરતના મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ બે જૂથ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં જાહેરમાં હિંસક મારામારી સર્જાય હતી,જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.સર્જાયેલી ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આ ઘટનામાં પોલીસે રાયોટીંગનો ગુન્હો દર્જ કરીને તપાસ શરૂ કરી છે.પોલીસ તપાસમાં બાળકોની સામાન્ય  બોલાચાલીમાં પરિસ્થિતિ વણસી હતી અને હિંસક મારામારી સુધી પહોંચી ગઈ હતી.અને સમગ્ર ઘટના સ્થાનિક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.પોલીસે સીસીટીવીના આધારે પણ આરોપીઓની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.