સુરત : શેહર થયું પાણી-પાણી : અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા.

સુરત શહેરમાં મોદી રાતથી મેઘરાજએ ધબદાટી બોલાવી છે. અત્યાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પર ભારે અસર વર્તાઇ રહી છે.

New Update

સુરત શહેરમાં મોદી રાતથી મેઘરાજએ ધબદાટી બોલાવી છે. અત્યાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પર ભારે અસર વર્તાઇ રહી છે. શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા.

સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે. મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદથી શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તારઅખંડ આનંદ કોલેજની આસપાસવેડરોડ વિસ્તારમાંઉધના ગરનાળુઅઠવા ગેટમજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે.

વેડરોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. ભારે વરસાદને કારણે સુરતના જન-જીવન પર ભારે અસર જોવા મળી રહી છે. પાંચ ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીનાં ગરકાવ થયાં છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસવાની સ્થિતિ પણ ઉદભવી છે. તંત્રએ રેસ્ક્યૂ માટે બોટ પણ દોડતી કરી છે.

 

Read the Next Article

સુરત : આંગણીયા પેઢીના 2 કર્મચારી સાથે થયેલ રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો, 5 શખ્સોની ધરપકડ

આંગણીયા પેઢીના કર્મચારીને માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો

New Update
  • વરાછામાં થયેલ લાખોના મત્તાની લૂંટ અને ચોરીનો મામલો

  • આંગણીયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થઈ લૂંટ અને ચોરી

  • રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો

  • પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ આદરી

  • 5 શખ્સોની ધરપકડ સાથે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી 

સુરતમાં અમદાવાદની આર. મહેન્દ્ર આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. સમગ્ર મામલે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના આર. મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત તારીખ 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનુંચાંદી અને હીરા સહિત રૂ. 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. જે તા. 15મીએ મળસ્કે 4:30 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો. તે જ વખતે તેની પાસે બ્લ્યુ કલરની કાર આવીને ઉભી રહી હતી.

કારમાં આવેલા 3 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મુકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે વખતે પહેલેથી જ બહાર ઉભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતોઅને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુનો માર મારી રૂ. 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો. પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ તા. 16મીએ રાત્રે 8:15 વાગ્યે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લૂંટની તપાસ ચાલી રહી હતીતેની વચ્ચે આ જ પેઢીનો બીજો ડિલિવરીમેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ અમદાવાદથી રાત્રે પોણા અગિયાર વાગ્યે રૂ. 24.10 લાખના હીરા અને 90 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. જે તા. 17મીની મળસ્કે 5:15 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી હતી. આંગડિયાકર્મી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મુકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતોતે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે સવાર 2 ગઠિયા થેલો લઈને ઉતરી જતાં ધમાચકડી મચી હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતીતેના 9 કલાકમાં જ બીજો કર્મચારી ચોરીનો ભોગ બનતા પોલીસ દોડતી થઇ હતી.

બન્ને ઘટનાઓને લઈને પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતીત્યારે આંગડિયા પેઢીના 2 અલગ અલગ કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. લૂંટ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા શૈલેષ રાજપુરોહિતશ્રવણસિંહ રાજપૂતજોગસિંહ રાજપુરોહિતઆકાશસિંગ ગણપતસિંગભરત રાજપુરોહિતને ઝડપી પાડ્યા છે. પોલીસે શખ્સો પાસેથી અલગ અલગ કેરેટના રૂ. 4 લાખના ડાયમંડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.