સુરત:તાપી નદીમાં ભંગાર વીણવા જતા એક થેલીમાં મળ્યા હથિયારો,પોલીસે કરી રીઢા આરોપીની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકની ધરપકડ કરીને દેશી હાથ બનાવટની બે રિવોલ્વર તેમજ દેશી તમંચા અને જીવતા કારતૂસ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી. 

New Update

સુરતમાં હથિયાર લઈને ફરતો ઈસમ ઝડપાયો 

ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની કરી ધરપકડ 

બે રિવોલ્વર,દેશી તમંચો અને જીવતા કારતૂસ કર્યા જપ્ત 

આરોપીને નદીમાં ભંગાર વિણતી વખતે મળ્યા હતા હથિયાર

ઝડપાયેલો આરોપી છે રીઢો ગુનેગાર 

સુરતમાં તાપી નદીમાંથી ભંગાર વિનવાણી કામગીરી દરમિયાન એક યુવકને હથિયાર ભરેલી થેલી મળી આવી હતી,ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકની ધરપકડ કરીને દેશી હાથ બનાવટની બે રિવોલ્વર તેમજ દેશી તમંચા અને જીવતા કારતૂસ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી. 
સુરત શહેરમાં દિવાળી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ કરી ફાયર આર્મ્સ હથિયારો પકડી પાડવા ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે આરોપી જીતુ ઉર્ફે જીતુ બિલ્લો આલ્જીભાઈ રાઠોડની ધરપકડ કરી છે. પોલીસે અઠવા તાપી નદીના કિનારે શનિવારી બજાર ડકકા ઓવારા પાસે આવેલ વળકપ ભૂતબંગલા નજીકથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની બે રિવોલ્વર અને દેશી તમંચા અને જીવતા કારતૂસ કબજે કર્યા છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.પોલીસ તપાસમાં આરોપી અને તેનો મિત્ર નિલેશ વળવી તાપી નદીમાં શ્રીફળ,ચૂંદડી,સિક્કાઓ અને ભંગાર વીણવાની મજુરી કામ કરતા હતા.આશરે બે મહિના પહેલા તાપી નદીમાં ભંગાર વીણવા જતી વખતે એક થેલીમાં હથિયારો મળી આવ્યા હતા.જે હથિયારો તેને ડક્કા ઓવારા પાસે આવેલ વડકપ ભૂત બંગલામાં સંતાડીને મૂકી રાખ્યા હતા.જાણવા મળ્યા મુજબ આરોપીના મિત્રની હત્યા અને અંગત દુશ્મનાવટનો બદલો લેવા માટે આરોપી જીતુ રાઠોડ હથિયાર લઈને ફરતો હતો.આરોપી જીતુ રાઠોડ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે.જેમાં અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ચાર અને ઉમરા પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલા છે,અગાઉ આરોપી એક ગુનામાં પાસા હેઠળ પણ ધકેલાયો હતો.
Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.