સુરત:તાપી નદીમાં ભંગાર વીણવા જતા એક થેલીમાં મળ્યા હથિયારો,પોલીસે કરી રીઢા આરોપીની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકની ધરપકડ કરીને દેશી હાથ બનાવટની બે રિવોલ્વર તેમજ દેશી તમંચા અને જીવતા કારતૂસ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી. 

New Update

સુરતમાં હથિયાર લઈને ફરતો ઈસમ ઝડપાયો 

ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની કરી ધરપકડ 

બે રિવોલ્વર,દેશી તમંચો અને જીવતા કારતૂસ કર્યા જપ્ત 

આરોપીને નદીમાં ભંગાર વિણતી વખતે મળ્યા હતા હથિયાર

ઝડપાયેલો આરોપી છે રીઢો ગુનેગાર 

સુરતમાં તાપી નદીમાંથી ભંગાર વિનવાણી કામગીરી દરમિયાન એક યુવકને હથિયાર ભરેલી થેલી મળી આવી હતી,ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકની ધરપકડ કરીને દેશી હાથ બનાવટની બે રિવોલ્વર તેમજ દેશી તમંચા અને જીવતા કારતૂસ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી. 
સુરત શહેરમાં દિવાળી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ કરી ફાયર આર્મ્સ હથિયારો પકડી પાડવા ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે આરોપી જીતુ ઉર્ફે જીતુ બિલ્લો આલ્જીભાઈ રાઠોડની ધરપકડ કરી છે. પોલીસે અઠવા તાપી નદીના કિનારે શનિવારી બજાર ડકકા ઓવારા પાસે આવેલ વળકપ ભૂતબંગલા નજીકથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની બે રિવોલ્વર અને દેશી તમંચા અને જીવતા કારતૂસ કબજે કર્યા છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.પોલીસ તપાસમાં આરોપી અને તેનો મિત્ર નિલેશ વળવી તાપી નદીમાં શ્રીફળ,ચૂંદડી,સિક્કાઓ અને ભંગાર વીણવાની મજુરી કામ કરતા હતા.આશરે બે મહિના પહેલા તાપી નદીમાં ભંગાર વીણવા જતી વખતે એક થેલીમાં હથિયારો મળી આવ્યા હતા.જે હથિયારો તેને ડક્કા ઓવારા પાસે આવેલ વડકપ ભૂત બંગલામાં સંતાડીને મૂકી રાખ્યા હતા.જાણવા મળ્યા મુજબ આરોપીના મિત્રની હત્યા અને અંગત દુશ્મનાવટનો બદલો લેવા માટે આરોપી જીતુ રાઠોડ હથિયાર લઈને ફરતો હતો.આરોપી જીતુ રાઠોડ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે.જેમાં અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ચાર અને ઉમરા પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલા છે,અગાઉ આરોપી એક ગુનામાં પાસા હેઠળ પણ ધકેલાયો હતો.
Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.