સુરત : ખટોદરામાં પરિણીતાના આપઘાતથી ચકચાર,પરિવારજનોએ સાસરી પક્ષ સામે કર્યા ગંભીર આક્ષેપ

સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી,જોકે આ ઘટના પાછળ તેણીના સાસરિયા જવાબદાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

New Update
  • ખટોદરામાં 25 વર્ષીય પરિણીતાના આપઘાતનો મામલો

  • મહિલાએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

  • મહિલાએ અન્ય જ્ઞાતિમાં કર્યા હતા પ્રેમ લગ્ન

  • સાસરી પક્ષના ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ

  • મૃતક મહિલાના પરિવારજનોએ સાસરી પક્ષ પર કર્યા આક્ષેપ

  • પોલીસે ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા 

Advertisment

સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી,જોકે આ ઘટના પાછળ તેણીના સાસરિયા જવાબદાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

સુરતના ખટોદરા વિસ્તારમાં ગજાનંદ શેરી અંબાનગર 2માં રહેતા 25 વર્ષીય રીના ઉર્ફે તુલસી ધવલભાઇ જરીવાલાએ 22 માર્ચે બપોરે 12 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર અચાનક જ જીવન ટૂંકાવી લીધું હતું. ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતીજેથી ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.25 વર્ષીય પરિણીતાએ કયા કારણસર આપઘાત કર્યો એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન મૃતક પરિણીતાના પરિવારજનોએ દીકરીનાં સાસુફોઈકાકાકાકી વિરુદ્ધ જાતિ વિષયક ટિપ્પણી કરી પોતાની દીકરીને ટોર્ચર કરતા હોવાના આક્ષેપ કર્યા છે અને ન્યાયની માંગ કરી છે.

 

Advertisment
Read the Next Article

સુરત : પાટીદારની શિક્ષિત દીકરીએ લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો, સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓને કરે છે મદદ

ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સ, એમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસ, સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે

New Update
  • લોકો દેખાદેખીમાં લગ્નપ્રસંગમાં કરે છે મોટા ખર્ચાઓ

  • પાટીદાર સમાજની શિક્ષિત દીકરીનો ઉચ્ચ વિચાર

  • પોતાના લગ્નમાં ખોટો ખર્ચ અટકાવી રકમ બચાવી

  • સંસ્થાઓની સાથે ગરીબ વિદ્યાર્થીઓની કરે છે મદદ

  • સગા સંબંધીઓ સહિત લોકોએ લગ્નની નોંધ લીધી

Advertisment

આજકાલ લોકો દેખાદેખીમાં લગ્નમાં ભારે ખર્ચા કરતાં હોય છેત્યારે સુરતમાં રહેતી પાટીદાર સમાજની શિક્ષિત દીકરીએ સાદુ જીવનઉચ્ચ વિચારને સાર્થક કરી પોતાના લગ્નમાં ખોટો ખર્ચ અટકાવ્યો હતો. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સએમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસસામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે. તેમના લગ્ન પોલીસ કમિશનર કચેરીમાં એકાઉન્ટ રાઈટર તરીકે ફરજ બજાવતા મહેશ હપાણી સાથે થયા હતા. ગત તા. 10મી મેના રોજ યોજાયેલા આ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર આ દંપતીએ અગાઉથી નિર્ધારિત કર્યા પ્રમાણે ખોટા ખર્ચ અટકાવી સમાજમાં એક અલગ જ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો.

ઉર્વશી ધોરાજીયાએ જણાવ્યુ હતું કેહું કાઉન્સેલિંગ કામ કરુ છું. જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છેતેમને સમજાવે છે કેજેથી તેઓ માતા-પિતાને જાણ કરીને આ પ્રકારના પગલાં ભરે. એવી દીકરીઓનું કાઉન્સેલિંગ કરુ છુંજે આંતરધર્મમાં જઈને લગ્ન કરતી હોય છેત્યારે મેં મારા લગ્ન વખતે મારા પિતાનો વિચાર અનુસર્યો હતો.

મારા પપ્પા કહેતા કેરૂપિયા બચાવીને રાખવા. જેથી ખરાબ સમયમાં કામ આવે. કોઈ રૂપિયા કોઈ પાસેથી લઈને પ્રસંગ ન ઉજવવા. જેથી મેં પોલીસમાં ફરજ બજાવતા મારા પતિ સમક્ષ વિચાર મુક્યો. તેમણે પણ આ વિચારને વધાવી લીધો અને અમે 3 લાખથી વધુની રકમ લગ્નમાંથી બચાવીને ગૌશાળા અને 3 બાળકોની ફી ભરવામાં આ રકમ વાપરીશું. લગ્નમાં પ્રતિજ્ઞા વૃદ્ધસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને પીરસવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેથી કેટરર્સની જગ્યાએ સંસ્થાને આડકતરી રીતે મદદ થઈ શકેત્યારે સમગ્ર લગ્નની સગા સંબંધીઓ સહિતના લોકોમાં ચર્ચાની સાથે અલગ નોંધ પણ લેવામાં આવી હતી.

Advertisment