સુરત : ખભાના સ્તરથી વિશ્વનું સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ, 9 વર્ષીય બ્રેઈનડેડ બાળકીના હાથનું 15 વર્ષીય કિશોરીમાં ટ્રાન્સપ્લાન્ટ

સુરત શહેરની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય બાળકીના હાથનું 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં તબીબો દ્વારા ખભાના સ્તરથી વિશ્વનું સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

New Update

કિરણ હોસ્પીટલમાં 9 વર્ષીય બાળકી બ્રેઈનડેડ જાહેર થઈ

બાળકીના હાથનું 15 વર્ષીય કિશોરીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું

મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં તબીબો દ્વારા સર્જરી કરાય

ખભાના સ્તરથી વિશ્વનું સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

કિશોરીએ બાળકીના પરિવાર સહિત તબીબોનો આભાર માન્યો

સુરત શહેરની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય બાળકીના હાથનું 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં તબીબો દ્વારા ખભાના સ્તરથી વિશ્વનું સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

સુરત શહેરની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. જે સમગ્ર વિશ્વમાં સૌથી નાની ઉમરની એટલે કે9 વર્ષની બાળકીના હાથનું દાન કરવાની સૌપ્રથમ ઘટના હતી. મિસ્ત્રી પરિવારે પોતાની વ્હાલસોયી 9 વર્ષીય દીકરી સ્વ. રિયાના હાથ સહીત ફેફસાંલિવરકિડની અને ચક્ષુઓનું દાન કરી 7 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આ સાથે જ દાન કરાયેલા રિયાના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોરેગાવમુંબઈની રહેવાસી 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં ડૉ. નિલેશ સાતભાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. ખભાના સ્તરથી વિશ્વનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું. આ કિશોરી હાલમાં મુંબઈમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. તેના માતા-પિતાનું તે એક માત્ર સંતાન છે. તેના પિતા એડવરટાઈઝીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 15 વર્ષીય કિશોરી અનંતા અહેમદ 30 ઓક્ટોમ્બર 2022ના રોજ દિવસે અલીગઢઉત્તરપ્રદેશમાં તેની પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી હતીત્યારે અકસ્માતે 11 હજાર કિલોવોટનો વાયર પકડી લેતા તેના બંને હાથ દાજી ગયા હતા. જમણા હાથમાં ગેગરીન થઈ જવાના કારણે તેનો જમણો હાથ ખભાના સ્તરથી કાપી નાંખવો પડ્યો હતો. ડાબા હાથમાં પણ ઘણી બધી ઈજાઓ થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખૂબ જ ઓછું થઇ ગયું હતું.

ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાળા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં અંગદાતા રિયા બોબી મિસ્ત્રીના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે કિશોરીમાં કરવામાં આવ્યું હતુંતે કિશોરી અને તેના પરિવારની મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. ખભાના સ્તરના ટ્રાન્સપ્લાન્ટ પછીતે કિશોરીને તેના જીવનમાં સર્વસ્વ પરત મળી ગયું હોય એવી લાગણી અનુભવતી હતી. કિશોરીના માતા-પિતાએ રિયાના માતા-પિતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કેતેઓના નિર્ણયને કારણે આજે અમારી દીકરીને જમણો હાથ મળ્યો છેઅને તેના જીવનમાં ખુશાલી આવી છે. ડોનેટ લાઈફ સંસ્થા સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવીનેઅંગદાન કરાવવાનું જે કાર્ય કરે છેતેને કારણે અમારી પુત્રી જેવા અન્ય દર્દીઓને નવજીવન આપવા માટે ડોનેટ લાઈફ સંસ્થા એક માધ્યમ છે. એ જ રીતે સમાજમાં અંગદાનની વધુને વધુ જનજાગૃતિ ફેલાવી વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુ જીવન આપવું એ સરાહનીય કામગીરી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : 30 કરોડના હીરા ચોરી કેસમાં આવ્યો નવો વળાંક, ફરિયાદી જ નીકળ્યો આરોપી, વીમો પકવવા રચ્યું હતું તરકટ

ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની હતી

New Update
  • કાપોદ્રા કરોડોના હીરા ચોરીનો મામલો

  • પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો

  • ફરિયાદી જ નીકળ્યો આરોપી

  • ડી કે એન્ડ સન્સના માલિક જ નીકળ્યા આરોપી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે. આ ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી જ આરોપી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની હતી.જેમાં ચોર સીસીટીવીનાDVR પણ સાથે લઇ ગયા હોવાનું બહાર આવ્યું થયુ હતું.જોકે પોલીસની  તલસ્પર્શી તપાસે આ ઘટનામાં એક મોટો ટર્નિંગ પોઇન્ટ લાવી દીધો છે.ઘટના ના ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી જ આરોપી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી. દેવેન્દ્રકુમાર ચૌધરીએ આ ષડયંત્રમાં તેના બંને દીકરા પિયુષ અને ઇશાન ચૌધરીને પણ સામેલ કર્યા હતા. આ સાથે તેનો ડ્રાઈવર પણ સામેલ હતો.

દેવેન્દ્રકુમાર ચૌધરીને દેવું વધી જતા વીમો પકવવા માટે ચોરીનું તરકટ રચ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેને 10 દિવસ પહેલા જ ઇન્સ્યોરન્સ રિન્યૂ કર્યો હતો. પોલીસ માટે ચોંકાવનારી વાત તો એ હતી કેકંપનીમાં ઘૂસવા માટે ચોરો દ્વારા એક પણ તાળું તોડવામાં ન આવ્યું હતું. ત્યારે ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવા અને તાળું ન તોડવા મુખ્ય બાબતના કારણે પોલીસને શંકા ગઇ હતી.

જોકેપોલીસે કરેલી સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ચોરીનો પ્લાન કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ બનાવ્યો હતો. આ ચોરીનું તરકટ કરવા માટે પાંચ લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા. ચોરીના આ નાટક માટે કુલ રૂપિયા 10 લાખ આપવાની વાત થઈ હતીજેમાંથી રૂપિયા 5 લાખ તેમને એડવાન્સમાં ચૂકવી દેવામાં આવ્યા હતાઅને બાકીના રૂપિયા 5 લાખ આપવાના બાકી હતા.