સુરત: યુવકે પરિવાર પર કર્યો ચપ્પુથી હુમલો,પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ,પત્ની અને બાળકનું મોત

સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા,પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું.

New Update
  • સામુહિક આત્મહત્યાની ઘટનાથી ચકચાર

  • પારિવારિક ઝઘડામાં યુવક બન્યો હિંસક

  • માતાપિતા,પત્ની અને બાળક પર કર્યો ચપ્પુથી હુમલો

  • પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

  • ઘાતકી હુમલામાં પત્ની બાળકનું કરૂણ મોત

  • યુવક અને માતા પિતા સારવાર હેઠળ

  • પોલીસે શરૂ કરી તપાસ

સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા,પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું.ચકચારી ઘટનામાં પત્ની અને બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. જયારે માતા પિતા તેમજ યુવક સારવાર હેઠળ છે.પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરત સરથાણા વિસ્તારમાં આવેલ રાજહંસ સ્વપ્ન સૃષ્ટિ બંગ્લોઝ સોસાયટીમાં સૂર્યા ફ્લેટની અંદર 8માં માળે રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પરિવારમાં અરેરાટી ભરી ઘટના બની હતી.જેમાં સ્મિત જીવાણીએ તેના પિતા લાભુભાઈ તથા માતા વિલાશબેનપત્ની હિરલબેનપુત્ર ચાહત પર ચપ્પુથી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી,અને પોતાને પણ ઇજા પહોંચાડી હતી. આ ચકચારી ઘટનામાં તેના પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે.જ્યારે સ્મિત અને તેના માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટના લોકોની જાણ સ્થાનિક લોકોએ સરથાણા પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પારિવારિક મનદુઃખના કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો. જેને લઇને આ કરૂણ ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ઘટનાના હાલCCTV બહાર આવ્યા છે. જેમાં સ્મિતે પોતાના પરિવાર પર હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં માતા અને પિતા ઘરની બહાર આવી ગયા હતા.અને આજુબાજુના લોકોને જાણ કરી હતી.ઘટના અંગે પોલીસ દ્વારા ફરિયાદ દર્જ કરીને તપાસ શરૂ કરી છે.

Read the Next Article

સુરત : શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ તોડી નાખતા મૂર્તિકાર ચિંતાગ્રસ્ત, ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ

અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ નિવડ્યો

New Update
  • મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવાનો મામલો

  • 10થી 15મૂર્તિઓ ખંડિત થતા મૂર્તિકાર વ્યથિત

  • ગણેશજીની મૂર્તિઓની આંગળીઓને નુકસાન

  • 4 મહિનાની મહેનતથી તૈયાર કરાઈ હતી મૂર્તિ

  • ખટોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાળા પાસે એક અતિ દુઃખદ ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ જતા ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા. સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજી મૂર્તિવાડા પાસે લગભગ 150થી વધુ ગણપતિની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. મૂર્તિકાર દ્વારા છેલ્લા 4 મહિનાથી અથાક મહેનત કરી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી. જોકેઆરોપ છે કે અજાણ્યા લોકોએ આ 15થી 20 પ્રતિમાઓની આંગળીઓ ખંડિત કરી નાખી હતી. આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

મૂર્તિકારનું કહેવું છે કેતેઓ જમવા માટે ગયા હતા તે દરમિયાન આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મૂર્તિઓ જોવા માટે કેટલાક લોકો આવ્યા અને તેમની નજર ખંડિત થયેલી મૂર્તિઓ પર પડી. આ જોતા જ મૂર્તિકાર ભાંગી પડ્યા અને રડતા-રડતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સૌથી મહત્વની વાત એ છે કેજેટલી પણ પ્રતિમાઓ છે તેમાંથી માત્ર શ્રીજીની પ્રતિમાઓની જ આંગળીઓ ખંડિત કરવામાં આવી છેઅન્ય કોઈ જગ્યાએ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ સમગ્ર મામલાની જાણ થતા જ ખટોદરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.