સુરત : યુવકનો પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત, વીડિયો બનાવી ઠાલવી હૈયાવરાળ,"મોદીજી છોકરાઓ માટે કાયદો બનાવો..."

સુરતના વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડીયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી મોતને વ્હાલું કર્યું છે.

New Update
  • વેપારી યુવકના ચકચારી આપઘાતનો મામલો

  • યુવકે અંતિમ વિડીયો બનાવીને કર્યો હતો આપઘાત

  • પૂર્વ પત્નીના ત્રાસથી ભર્યું અંતિમ પગલું

  • PM મોદીને છોકરાઓ માટે કાયદો બનાવવા કરી વિનંતી

  • પોલીસે પૂર્વ પત્ની તેના પ્રેમીની કરી ધરપકડ

સુરતમાંથી એક વેપારી યુવકે અંતિમ પગલું ભરતા પહેલા એક વિડીયો બનાવીને પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.અને પૂર્વ પત્ની શીતલ પર આપઘાત માટે દુષ્પ્રેરણાનો આરોપ લગાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે પૂર્વ પત્ની અને પ્રેમીની ધરપકડ કરી અન્ય 10 આરોપીઓની શોધખોળ કરી આ મામલે તપાસ હાથ ધરી છે.

સુરતના વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડીયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી મોતને વ્હાલું કર્યું છે. તેણે શીતલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકેબાદમાં શીતલ અને પરિવારના ઝઘડા વધી રહ્યા હતા. જેમાં મૃતકના આરોપો અનુસારશીતલ ઘરના સભ્યો અને તેને હેરાન કરતી હતી. જેનાથી કંટાળીને જયદીપે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકેઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુહોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. જયદીપે આપઘાત કરતા પહેલા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો.જેમાં તેણે પોતાની પૂર્વ પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ સિવાય વડાપ્રધાન મોદીને પણ પુરુષો માટે કાયદો બનાવવાની અપીલ કરી હતી.

ઉત્તરાણ પોલીસને જયદીપની મોપેડમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જે અનુસાર2023માં 30 ઓક્ટોબરે શીતલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે નાની-નાની વાતે પરિવાર સાથે ઝઘડા કરતી હતી.

આ સિવાય જયદીપે અંતિમ વીડિયોમાં વડાપ્રધાન મોદીને પણ અપીલ કરી હતી. તેણે કહ્યું કે, ‘મેં આ મામલે પોલીસમાં પણ કેસ કર્યો હતોપણ તે બધાએ મારા પર દબાણ કરી કેસ પરત ખેંચાવી લીધો હતો. છોકરાઓ માટે કોઈ કાયદો જ નથી. દર વખતે છોકરાઓએ મરીને જ સાબિત કરવું પડે છે કેતે સાચો હતો. મારે વડાપ્રધાન મોદીને એટલું જ કહેવું છે કેછોકરાઓ માટે પણ કાયદો બનાવોજેથી તેમને મરીને સાબિત ન કરવું પડે કે તે સાચો હતો. મેં શીતલને પ્રેમ અને પૈસા બધું આપી દીધું હવે મારી પાસે કશું વધ્યું નથી. શીતલતેની મિત્ર પ્રણાલીટીનારુચિતમોહસિન ઉર્ફે ટાઇગરરિચાનિરવઆયાનકંચનહીનાદેવલ અને યુવી આ બધા મારા મોતનાં જવાબદાર છે.

સમગ્ર ઘટનાની જાણ થતાં ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં જયદીપે આરોપ લગાવ્યા છે તે તમામની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી પોલીસે શીતલ રાઠવા અને તેના પ્રેમી મોહસિન ઉર્ફે ટાઇગરને ઝડપી લઈ આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.