સુરત : ઝાડા-ઉલટીના કારણે પાંડેસરામાં યુવકનું મોત, મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું...

ઝાડા-ઉલટીના કારણે યુવકનું મોત નિપજતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે

New Update
સુરત : ઝાડા-ઉલટીના કારણે પાંડેસરામાં યુવકનું મોત, મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું...

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ઝાડા-ઉલટીના કારણે યુવકનું મોત નિપજતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામનગરમાં રહેતા અને મૂળ ઓડિશાના વતની અંતરયામી ડાકુઆ લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે, તેઓની અચાનક તબિયત લથડતા ઝાડા-ઉલટી થવા લાગી હતી, ત્યારે તેઓએ નજીકની હોસ્પિટલમાં જઈ સારવાર મેળવી હતી. પરંતુ તબિયત વધુ ગંભીર થતા તેમના પરિવારજનો તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબોએ અંતરયામી ડાકુઆને મૃત ઘોષિત કર્યો હતો. સમગ્ર મામલે મનપાના આરોગ્ય વિભાગે પણ તાત્કાલિક ઘટનાની સ્થળે આવી ઝાડા-ઊલટીના વાવરને નિવારવા માટે કામગીરી હાથ ધરી હતી.

Read the Next Article

સુરત : પોલીસે 8 વાહન ચોરના ગુનાઓનો ઉકેલ્યો ભેદ,બે મહિનામાં ચોરીને અંજામ આપનાર વાહન ચોરની ધરપકડ

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

New Update
  • 8 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા

  • પોલીસને મળી સફળતા 

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • અલગ અલગ વેશ ધારણ કરીને કરતો ચોરી

  • પોલીસે 8 બાઈક પણ કરી જપ્ત

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના સિંગણપોર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા.અને બે મહિનામાં જ 8 જેટલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબ્જે કરી હતી.અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જયારે વાહન ચોરી કરવા જતો હતો,ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો.

Latest Stories