સુરત :  લેસની દુકાનમાં કામ કરતા કર્મચારીને ચપ્પુની અણીએ લૂંટી લેતા બે લૂંટારુઓ,ધોળે દહાડે બનેલી ઘટનાથી ચકચાર

સુરતના પુના વિસ્તારમાં રૂપિયા રોકડા 3 લાખ 50 હજારની લૂંટ ચલાવીને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા,ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ..

New Update
  • પુણા વિસ્તારમાં બની લૂંટની ઘટના

  • ચપ્પુની અણીએ 3.50 લાખની લૂંટ

  • લેસની દુકાનમાં કામ કરતો કર્મચારી લૂંટાયો

  • બેંકની બહાર રેકી કરીને બે અજાણ્યા શખ્શોએ કર્યો હુમલો

  • પુણા પોલીસે તપાસ શરૂ કરી

સુરતના પુણા વિસ્તારમાં ધોળે દહાડે લૂંટની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું,લેસની દુકાનમાં કામ કરતા કર્મચારી પર ચપ્પુથી હુમલો કરીને બે લૂંટારૂ રૂપિયા 3 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

સુરતના પુના વિસ્તારમાં આવેલ બેઠેલા બે અજાણ્યા શખ્સોએ તેમના પર અચાનક ચપ્પુ વડે હુમલો કર્યો હતો,અને રૂપિયા રોકડા 3 લાખ 50 હજારની લૂંટ ચલાવીને લૂંટારૂઓ ફરાર થઇલેસની દુકાનમાં કામ કરતા ધ્રુવિન વાસાણી બેંકમાં રોકડા રૂપિયા ઉપાડવા માટે ગયા હતા,અને બેંકમાંથી રૂપિયા 3 લાખ 50 હજાર ઉપાડીને ગોડાઉન જવા માટે નીકળ્યા હતા,જોકે બેંક બહાર રેકી કરીને  ગયા હતા,ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી

અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવીને ઈજાગ્રસ્ત ધ્રુવિનને સારવાર અર્થે  સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો,તેમજ લૂંટારૂઓનું પગેરૂ મેળવવા માટે પોલીસે શહેરનાCCTV ફૂટેજ સહિતના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Read the Next Article

સુરત : ગંભીર તાવની બીમારીમાં સપડાયેલી 7 વર્ષીય બાળકીનું મોત,પરિવાર શોકમગ્ન

સુરત શહેરના રામનગરમાં રહેતી 7 વર્ષીય માસુમ બાળકી બીમારીમાં સપડાયા બાદ મોતને ભેટતા ફફડાટ વ્યાપી ગયો હતો.અને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

New Update
  • શહેરમાં રોગચાળાથી એક બાળકીનું મોત

  • 7 વર્ષીય બાળકીનું નીપજ્યું કરૂણ મોત

  • બાળકીને બે દિવસથી તાવ આવી રહ્યો હતો

  • પરિવારે ઘર નજીકમાં સારવાર કરાવી હતી

  • તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ

  • તબીબે બાળકીને જોઈ તપાસી મૃત જાહેર કરી

સુરત શહેરના રામનગરમાં રહેતી 7 વર્ષીય માસુમ બાળકી બીમારીમાં સપડાયા બાદ મોતને ભેટતા ફફડાટ વ્યાપી ગયો હતો.અને પરિવારજનોમાં ઘેરાશોકની લાગણી પ્રસરી ગઈ હતી.

સુરતમાં વરસાદની સીઝનમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે.અને સિવિલ હોસ્પિટલમાં પણ મચ્છરોના ઉપદ્રવથી અને પાણીજન્ય રોગથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો.ત્યારે શહેરના રામનગરમાં રહેતા પરિવારની 7 વર્ષીય માસુમ બાળકીને બીમારીના ભરડામાં સપડાતા મોતને ભેટી હતી,પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળકીને બે દિવસથી તાવ આવતો હતો,અને તેની સારવાર પણ ચાલી રહી હતી.જોકે તબિયતમાં સુધારો ન થતા પરિવારજનો બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા,જોકે સિવિલ હોસ્પિટલના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.માસૂમ દીકરીના અવસાનથી પરિવારજનોમાં શોકમગ્ન બની ગયું હતું.