સુરત:સાયણ વિસ્તારની અંજની ઈન્ડસ્ટ્રિયલમાં 6 દિવસ બાદ કામકાજ શરૂ

સુરતના સાયણ વિસ્તારની અંજની ઈન્ડસ્ટ્રિયલમાં 6 દિવસથી બંધ કામકાજ શરૂ થયું છે જેના કારણે કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો છે

New Update

સુરતના સાયણની અંજની ઈન્ડસ્ટ્રિયલમાં કામ શરૂ

6 દિવસથી કામકાજ હતું બંધ

ઉડીયા ભાષામાં પોસ્ટર લાગતા ફેલાયો ભયનો માહોલ

પોલીસે પેટ્રોલિંગ કરી કામકાજ શરૂ કરાવ્યુ 

કર્મચારીઓને હાશકારો

સુરતના સાયણ વિસ્તારની અંજની ઈન્ડસ્ટ્રિયલમાં 6 દિવસથી બંધ કામકાજ શરૂ થયું છે જેના કારણે કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો છે
સુરતના સાયણ વિસ્તારની અંજની ઈન્ડસ્ટ્રિયલમાં ભાવવધારાની માંગને લઈ હજીરા રેલવે લાઈનના ફાટક પર ઉડિયા ભાષામાં પોસ્ટર લાગતા ગભરાટનો માહોલ ફેલાયો હતો. જેના કારણે છેલ્લા 6 દિવસથી અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શટડાઉનની સ્થિતિ સર્જાઈ છે. રોજે 30 લાખ મીટર કાપડનો પ્રોડક્શનના 800 પાવર લુમ્સના યુનિટ બંધ થતાં 800 વેપારીઓ અને 50,000 કારીગરો અસરગ્રસ્ત થયા હતા ત્યારે છેલ્લા 6 દિવસથી બંધ અંજની ઇન્ડટ્રીયલમાં કામકાજ થયું છે આ બાબતે અંજની ઈન્ડસ્ટ્રીયલના વેપારીઓ દ્વારા પોલીસની મદદ માગવામાં આવી હતી
પોલીસ દ્વારા પણ રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું અને અંતે ઇન્ડસ્ટ્રીયલના માસ્ટરો સાથે હોદ્દેદારોએ બેઠક કરીને કામકાજ શરૂ કરાવ્યું હતું.ઇન્ડસ્ટ્રીયલમાં 800 યુનિટ આવેલા છે અને 50,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.છેલ્લા 6 દિવસથી કામકાજ બંધ રહેતા અંજની ઈન્ડસ્ટ્રીયલના કર્મચારીઓને 3.5 કરોડથી વધુના પગારનું નુકશાન થયું હતું.અત્રે ઉલ્લેખનિય છે કે  ઉડિયા ભાષામાં ધમકી ભરેલા પોસ્ટર લાગતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના વેપારી અને કારીગરોમાં ભયનો માહોલ છે. આ પોસ્ટરમાં ઓરિસ્સા ભાષામાં લખવામાં આવ્યું છે કે, ''સમસ્ત ઓડીસાવાસી ભાઈઓને સૂચના આપીએ છીએ કે, ગણપતિ પૂજા પછી બધી ફેક્ટરીમાં 20 પૈસા વધવા જોઈએ. નહીંતર લુમ્સ ચાલુ નહીં કરવાના. જો કોઈ ભાવ વધાર્યા વગર ચાલુ કરશે તો સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે જેના કારણે ભયનો માહોલ ફેલાયો હતો
Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.