ભરૂચ : GSTના કાયદાથી સંબંધિત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદાને ઉદ્યોગસાહસિકોએ આવકાર્યો

ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

author-image
By Connect Gujarat Desk
New Update
  • ગુજરાત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો

  • GSTના કાયદાથી સંબંધિત ચુકાદો

  • લીઝ પરના પ્લોટને થર્ડ પાર્ટીને વેચવા વસુલાતો હતો GST

  • ઓથોરિટીના 18 ટકા GST વસુલાત પર મારી બ્રેક

  • ઓથોરિટીની 18 ટકા GSTની વસુલાતની નોટિસો પણ કરાઈ રદ

  • ઉદ્યોગસાહસિકોએ હાઇકોર્ટના ચુકાદાને આવકાર્યો 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા GSTના સંદર્ભમાં સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે.જેમાં GIDCએ લીઝ પર આપેલા પ્લોટને જો કોઇ ઔદ્યોગિક એકમ થર્ડ પાર્ટીને વેચે તો તેના ઉપર સરકાર 18% GST વસૂલી શકે નહીં.જે ચુકાદાને ઉદ્યોગો સાહસિકો આવકાર્યો છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિતના અરજદારોએ હાઇકોર્ટમાં કરેલી રિટ પિટિશનને હાઇકોર્ટે સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખી હતીઅને આ મામલે ઓથોરિટી દ્વારા જેમને પણ 18% GSTની વસુલાત માટેની નોટિસ પાઠવવામાં આવી છેતે નોટિસોને પણ રદબાતલ કરી છે. સાથે જ ચુકાદા ઉપર સ્ટે આપવાની રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે કરેલી વિનંતી પણ ફગાવી કાઢી છે. આ ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છેત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને અંકલેશ્વરના ઉદ્યોગસાહસિકોએ આવકાર્યો હતો,અને આ ઉપરાંત આવનાર દેશના જનરલ બજેટમાં પણ ઉદ્યોગક્ષેત્રે સરકાર દ્વારા જરૂરી રાહત ભર્યા નિર્ણય લેવામાં આવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે GIDC દ્વારા લીઝ હોલ્ડ રાઇટ્સના ટ્રાન્સફર અને સેલ પર 18 ટકા GSTની ડિમાન્ડને અયોગ્ય ગણાવી છે. કેમ કે જ્યારે પણ GIDC જોડેથી લીઝ પર લીધેલી પ્રોપર્ટી કે પ્લોટ કોઇ ઔદ્યોગિક એકમ થર્ડ પાર્ટીને વેચે ત્યારે એ થર્ડ પાર્ટી મૂળ ઔદ્યોગિક એકમના બદલે GIDCનો લીઝ ધારક બની જાય છે. એ સંજોગોમાં લીઝ હોલ્ડ રાઇટ્સ હેઠળ પ્લોટ અથવા તો પ્રોપર્ટીના આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઉપર GST લાગે નહીં.

તેથી અરજદારોની પિટિશન હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી,અને ઉદ્યોગ એકમોને GSTની વસૂલાત માટે આપવામાં આવેલી નોટિસને પણ રદ કરવામાં આવી હતી.હાઇકોર્ટના ચુકાદાથી ઉદ્યોગ આલમે રાહતનો શ્વાસ લીધો હતો.

રાજ્યભરના ઉદ્યોગ મંડળ દ્વારા GST ઓથોરિટી સામે આ અંગે રજૂઆત કરી હતી,જેનો સુખદ નિવેડો આવતા ઉદ્યોગ વસાહતોમાં ખુશી વ્યાપી ગઈ છે,અને આ અંગે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી પણ ઉદ્યોગ સાહસિકોએ દર્શાવી છે.

GSTના કાયદાની જોગવાઇઓનો ઓથોરિટી દ્વારા રાજ્યભરની વિવિધ GIDCમાં ઔદ્યોગિક એકમો દ્વારા જ્યારે પણ થર્ડ પાર્ટીને વેચાણ અંગેનું ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહાર કરવામાં આવે ત્યારે એના પર ઉપર 18 ટકા GSTની ડિમાન્ડ કરવામાં આવતી હતી.

તેથી ઓથોરિટીના નિર્ણયને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો અને આ નિર્ણયને ગેરકાયદેસર,મનસ્વી અને ગેરવ્યાજબી જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જે એકમોને 18 ટકા GSTની ડિમાન્ડ અંગેની નોટિસ પાઠવવામાં આવી હતી એને રદ કરવાની દાદ પણ માંગી હતી.

GTS ઓથોરિટીના મનસ્વી વલણ સામે ચાર્ટટ એકાઉન્ટન્ટ તરીકે અંકલેશ્વર,સુરત સહિતના જિલ્લાઓમાં પ્રેક્ટિસ કરતા હાર્દિક કાકડિયાએ જણાવ્યું હતું કે ભાડા પટ્ટાની જમીન પર 18 ટકા GSTનો બોજો લગાડવામાં આવ્યો હતો,જેના કારણે  પ્લોટ ધારકો પર નોટીસોનો મારો ચલાવવામાં આવ્યો હતો,GST ઓથોરિટીના મનસ્વી વલણ સામે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સાથે મળીને 175 લોકોએ ભેગા મળીને એક SGSTના અધિકારીઓ સાથે ઓપન સેશન્સ રાખવામાં આવ્યું હતું.

જેમાં ખ્યાલ આવ્યો હતો કે ખુદ અધિકારીઓ જ કાયદાથી પરિચિત નથી અને ત્યાર બાદ નોટિસો પર નોટિસ શરૂ થઈ હતી.અને કેસ બગાડવામાં આવ્યો હતો.જોકે વર્ષ 2022થી આ મેટરમાં હાઇકોર્ટમાં લડત આપવામાં આવી હતી,જેમાં હાઇકોર્ટ દ્વારા પ્લોટ ધારકોને રાહત આપતો ચુકાદો આપવામાં આવ્યો છે.જે આવકાર દાયક હોવાનું તેઓએ જણાવી રહ્યા છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે લોકોએ યાચિકા દાખલ કરી હતી તેમને જ આનો લાભ મળશે જયારે અન્ય લોકોને આનો લાભ મળશે નહીં.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.