Connect Gujarat
ટેકનોલોજી

આકાશ અંબાણી: 5G જીવન જીવવાની બદલશે રીત, આખો દેશ તેનો લાભ લેવા તૈયાર..!

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે 5G ટેક્નોલોજીમાં ભારતીયોની જીવનશૈલી બદલવાની શક્તિ છે.

આકાશ અંબાણી: 5G જીવન જીવવાની બદલશે રીત, આખો દેશ તેનો લાભ લેવા તૈયાર..!
X

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે 5G ટેક્નોલોજીમાં ભારતીયોની જીવનશૈલી બદલવાની શક્તિ છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા આયોજિત 'પોસ્ટ બજેટ વેબિનાર'માં અંબાણીએ આ વાત કહી. તેમણે કહ્યું કે 2023 સુધીમાં રિલાયન્સ જિયોની સાચી 5G સેવા દરેક તાલુકા, દરેક શહેર અને દરેક ગામમાં ઉપલબ્ધ થશે. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે આ વેબિનારનું ઉદ્ઘાટન કર્યું હતું.

આકાશ અંબાણીએ Jioના True 5G નેટવર્ક લોન્ચને વિશ્વનું સૌથી મોટું 5G રોલઆઉટ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે માત્ર 5 મહિનામાં જિયોએ લગભગ 40 હજાર ટાવર સાઇટ્સ પર 2.5 લાખ 5G સેલ ઇન્સ્ટોલ કર્યા છે. રિલાયન્સ જિયોના આ મોટા ઈન્ફ્રા પર સવાર થઈને કંપનીની સર્વિસ 277 શહેરોમાં પહોંચી ગઈ છે. આકાશ અંબાણીએ દાવો કર્યો હતો કે 2023 સુધીમાં રિલાયન્સ જિયોની સાચી 5G સેવા દરેક તાલુકા, દરેક શહેર અને દરેક ગામમાં ઉપલબ્ધ થશે.

આકાશ અંબાણીએ 5G ટેક્નોલોજીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે થઈ શકે છે અને તે આપણા જીવનને કેવી રીતે અસર કરશે તેના પર ખૂબ જ વિગતવાર વાત કરી હતી. આકાશ અંબાણીએ કહ્યું કે દેશ 5Gનો લાભ લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને 5Gનો ઉપયોગ સ્વાસ્થ્ય, શિક્ષણ, કૃષિ, ગેમિંગ અને સ્માર્ટ સિટીમાં થઈ શકે છે.

Next Story