ભરૂચ:દેસાઇ ફાઉન્ડેશન દ્વારા સેવા કાર્ય, જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરાયું

New Update
ભરૂચ:દેસાઇ ફાઉન્ડેશન દ્વારા સેવા કાર્ય, જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરાયું

ભરૂચના દેસાઇ ફાઉન્ડેશન દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના સમયમાં જરૂરિયાતમંદોને અનાજ તેમજ માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવ્વમાં આવ્યું હતું

હાલ કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા અનેક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે જેના કારણે રોજનું કમાયને રોજ ખાતા પરિવારજનોએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે ત્યારે ભરૂચના દેસાઇ ફાઉન્ડેશન દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સેવા કાર્યના ભાગરૂપે દેસાઇ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7ના વિવિધ વિસ્તારોમાં અનાજની કીટ તેમજ માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા,પૂર્વ પ્રમુખ સુરભિ તમાકુવાલા સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

ઓપરેશન સિંધુ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે.

New Update
iran

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.

વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.