/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/30161442/maxresdefault-155.jpg)
ભરૂચના દેસાઇ ફાઉન્ડેશન દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના સમયમાં જરૂરિયાતમંદોને અનાજ તેમજ માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવ્વમાં આવ્યું હતું
હાલ કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા અનેક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે જેના કારણે રોજનું કમાયને રોજ ખાતા પરિવારજનોએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે ત્યારે ભરૂચના દેસાઇ ફાઉન્ડેશન દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સેવા કાર્યના ભાગરૂપે દેસાઇ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7ના વિવિધ વિસ્તારોમાં અનાજની કીટ તેમજ માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા,પૂર્વ પ્રમુખ સુરભિ તમાકુવાલા સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા