GAS કેડરના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે.રાજ્યભરના 37 અધિકારીઓને સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ આપ્યા છે. ગુજરાત વહીવટી સેવાના 37 અધિકારીઓની બદલી અને નિમણૂક વિવિધ જગ્યાઓ પર કરવામાં આવી છે. જેમાં એચ.પી.જોશીની બદલી જોઇન્ટ કમિશનરટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરીગાંધીનગર ખાતે કરવામાં આવી છે,અને ડી.પી.મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.એક સાથે 37 અધિકારીઓની બદલી ચર્ચાનો વિષય બન્યો હતો.

Transfer of GAS cadre officers