Home > લાઇફસ્ટાઇલ > ટ્રાવેલ > સોરઠવાસીઓની યાત્રા સુવિધામાં કરાયો વધારો, હવે દર સોમવારે જૂનાગઢથી બનારસની ટ્રેન દોડશે...!
સોરઠવાસીઓની યાત્રા સુવિધામાં કરાયો વધારો, હવે દર સોમવારે જૂનાગઢથી બનારસની ટ્રેન દોડશે...!
શ્રાવણના ચોથા સોમવારથી વેરાવળ રેલવે સ્ટેશનથી વેરાવળ- બનારસ- વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ થશે.
BY Connect Gujarat Desk11 Sep 2023 11:04 AM GMT
X
Connect Gujarat Desk11 Sep 2023 11:04 AM GMT
શ્રાવણના ચોથા સોમવારથી વેરાવળ રેલવે સ્ટેશનથી વેરાવળ- બનારસ- વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ થશે. આ ટ્રેન દર અઠવાડિયે એક વખત સોમવારથી દોડશે. વેરાવળથી સવારે 4:15 વાગ્યે ઉપડનારી આ ટ્રેન સવારે 5:48 વાગ્યે જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે આવશે. આમ, જૂનાગઢવાસીઓને પણ બનારસ સુધીની સીધી ટ્રેનની સેવાનો લાભ મળશે. આમ, જૂનાગઢવાસીઓ હવેથી દર સોમવારે જૂનાગઢથી બનારસ સુધી ટ્રેનમાં જઇ શકશે. ઘણા લાંબા સમય પછી જૂનાગઢ- સોરઠને એક લાંબા અંતરની ધાર્મિક સ્થાનને જોડતી ટ્રેન પ્રાપ્ત થઇ છે. આ ટ્રેન દર સોમવારે વેરાવળથી ઉપડશે અને મંગળવારે બનારસ પહોંચશે. બાદમાં બુધવારે બનારસથી ઉપડશે અને ગુરૂવારે વેરાવળ પહોંચશે.
Next Story