Connect Gujarat
ટ્રાવેલ 

યુકે ટૂરિસ્ટ વિઝા : નિયમોમાં કોઈ ફેરફાર નહીં, ભારતીય હાઈ કમિશને આપી સ્પષ્ટતા...

લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન તે દાવાઓને નકારી કાઢ્યા છે કે, તેમણે અંતિમ સમયમાં પોતાના યૂકે ટુરિસ્ટ વિઝા નિયમો બદલી દીધા છે.

યુકે ટૂરિસ્ટ વિઝા : નિયમોમાં કોઈ ફેરફાર નહીં, ભારતીય હાઈ કમિશને આપી સ્પષ્ટતા...
X

લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન તે દાવાઓને નકારી કાઢ્યા છે કે, તેમણે અંતિમ સમયમાં પોતાના યૂકે ટુરિસ્ટ વિઝા નિયમો બદલી દીધા છે.ભારતીય હાઇ કમિશન કહ્યું કે, ભારત આવનાર બ્રિટિશ યાત્રીને હંમેશા વીએફએસ કેન્દ્ર વ્યક્તિગત રૂપથી અરજી કરવાની આવશ્યકતા હોય છે. વ્યક્તિગત વિઝા અરજી માટે પ્રક્રિયામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જોકે, બ્રિટનના લોકોને ભારત માટે પર્યટન વિઝા પ્રાપ્ત કરવામાં પરેશાનીનો સામનો કરવાની વાત સામે આવી હતી. બ્રિટિશ યાત્રીને સમય પર વિઝા પ્રક્રિયા પુરી ન થવાની ફરિયાદ કરી છે. તેના પર ભારતીય હાઇ કમિશન કહ્યું કે, અમારા સંજ્ઞાનમાં આવ્યું છે કે, અનધિકૃત એજન્ટ અવૈધ રૂપથી ચાર્જ લઇ રહ્યા છે, અને વીએફએસ કેન્દ્રો પર જમા કરાવવા માટે વિઝા અરજીઓને એકઠી કરી રહ્યા છે. તે અરજદારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, અને તે સેવાઓને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. ભારતીય હાઇકમિશને આ વાત પર ભાર મૂક્યો છે કે, વીએફએસ ગ્લોબલ સર્વિસિઝ યુકેમાં ભારત સંબંધિત પાસપોર્ટ/વિઝા સેવાઓ માટે એકમાત્ર અધિકૃત આઉટસોર્સિંગ સેવાઓ પુરી પાડે છે. ભારતીય હાઇ કમિશને કહ્યું કે, તે પોતાની સેવાઓમાં ઉણપને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે, બ્રિટિશ હોલિડે મેકર્સ, જેમણે ભારત માટે પોતાના વિઝા પ્રાપ્ત કરવા માટે એજન્ટોનો ઉપયોગ કર્યો છે. તે પોતાની રજાઓ રદ કરવા માટે મજબૂર બન્યા છે. કારણ કે, એજન્ટોને ગત અઠવાડિયે નોટિસ મળી હતી કે, તમામ અરજીઓને વિઝા અરજી જમા કરાવવા માટે વીએફએસ કેન્દ્રો પર વ્યક્તિગત રૂપથી આવવું પડશે. આ ઉપરાંત ઘણા બ્રિટીશ મુસાફરોને સમયસર વીઝા સ્લોટ ન મળવાની ફરિયાદ કરી હતી. ઘણા લોકો વીએફએસ કેન્દ્રોની યાત્રા કરવાથી બચવા માટે આ એજન્ટોને સેકડો પાઉન્ડની ચૂકવણી કરી હતી, અને હવે તેમની ફ્લાઇટનું ઉડાન ભરતા પહેલાં તેમને વિઝા સ્લોટ મળી શક્યો નથી.

Next Story