/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/19152557/maxresdefault-240.jpg)
વડોદરામાં ચાલી રહેલા કોરોનાના કહેર વચ્ચે પણ લોકો એકબીજા સાથે ઝગડો કરવાનું બંધ કરી રહયાં નથી. હાથીખાના વિસ્તારમાં મન્સુરી કબ્રસ્તાન પાસે બાળકોના ઝગડામાં મોટેરાઓએ ઝંપલાવતા સામસામે પથ્થરમારો થયો હતો.
વડોદરા શહેરમાં કોરોના વાયરસના દર્દીઓ કુદકેને ભુસકે વધી રહયાં છે. આવા સંજોગોમાં લોકો એકબીજા સાથે ઝગડો કરી રહયાં છે. વડોદરાના હાથીખાના વિસ્તારમાં એક જ કોમના બે જુથો વચ્ચે અથડામણ થતાં દોડધામ મચી ગઇ હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હાથીખાનાના મન્સુરી કબ્રસ્તાન વિસ્તારમાં કેટલાક બાળકો વચ્ચે ઝગડો થયો હતો. આ ઝગડામાં બાળકોના પરીવારજનો આમને સામને આવી ગયાં હતાં. બંને પક્ષો તરફથી સામસામે પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને મામલો થાળે પાડયો હતો. પથ્થરમારાની ઘટનામાં ચારથી પાંચ લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડાયાં છે. હાલ તો પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.