શ્રાવણ “સ્પેશ્યલ” : વડોદરામાં 6 વર્ષીય બાળકીએ 1 હજાર રુબિક ક્યુબ વડે ભગવાન શિવજીની ઉત્કૃષ્ટ છબી તૈયાર કરી…

વડોદરા શહેરમાં રહેતી 6 વર્ષીય દીકરીએ 1 હજાર રુબિક ક્યુબ વડે ભગવાન મહાદેવની ઉત્કૃષ્ટ છબી તૈયાર કરી શ્રાવણ માસ નિમિત્તે અનોખી રીતે શિવભક્તિ કરી બતાવી છે.

New Update

વડોદરા શહેરમાં રહેતી 6 વર્ષીય દીકરીએ1હજાર રુબિકક્યુબવડેભગવાન મહાદેવની ઉત્કૃષ્ટ છબીતૈયાર કરી શ્રાવણ માસ નિમિત્તે અનોખી રીતે શિવભક્તિ કરી બતાવી છે.

આમ તો, ભગવાન ભોળા શિવને રીઝવવા શિવભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે પૂજન અર્ચન કરતાં હોય છે. પરંતુ પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તિનો મહિમા જ કઈક અનેરો હોય છે, ત્યારે આજથી શરૂ થતાં શ્રાવણ માસ નિમિત્તે ભોળા શિવને રીઝવવા માટે વડોદરાશહેરની 6વર્ષીય દીકરીવાણી પટેલે 1હજાર રુબિકક્યુબનીમદદથીદેવાધિદેવ મહાદેવની અદભુત છબીતૈયાર કરી બતાવી છે.વાણી 3 વર્ષની હતી,ત્યારથી જરુબિકક્યુબમાંમાસ્ટરીધરાવે છે

વાણીના પિતાદિવ્યેશ પટેલ અને માતા અક્ષિતા પટેલએ પણ તેનેખૂબસપોર્ટ કર્યો છે. વાણીના નામે અનેક રેકોર્ડ પણ અંકિત થયા છે.ત્યારે આજે શ્રાવણમાસનાપ્રથમસોમવારેવાણી દ્વારા 1હજાર રુબિકક્યુબદ્વારા શિવજીનીરંગબેરંગીછબી બનાવવામાં આવી હતી. છેલ્લા એકમહિનાથી વાણીપોતાનાગુરુનીમદદથી દેવાદિદેવ મહાદેવની છબી બનાવવા પ્રયત્ન કરી રહી હતી,ત્યારેઆખરે શ્રાવણમાસનાપ્રથમસોમવારે તેની મહેનત રંગ લાવી હતી. આ છબીનેલોકો નિહાળી શકે તે માટેકાશી વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાંમુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રુબિક ક્યુબ શિખવાથી બાળકોમાં કોન્સન્ટ્રેશન તેમજ આઇક્યુ લેવલ વધે છે.આ સાથે જમાઈન્ડનેપણસ્ટેબલ રાખે છે,જેથીરુબિકક્યુબ શીખવું ખૂબ જરૂરી છે,તેવું 6વર્ષીયવાણીજણાવ્યું હતું.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.