વડોદરા : MSUના ફાર્મસી વિભાગની બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર..!

બાંગ્લાદેશથી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં અભ્યાસ અર્થે આવેલી 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી

New Update
  • એમ.એસ.યુનિ.ના ફાર્મસી વિભાગની વિદ્યાર્થિનીનો આપઘાત

  • બાંગ્લાદેશી યુવતીએ ગળે ફાંસો ખાઇ કરી લીધી આત્મહત્યા

  • બાંગ્લાદેશી યુવતીએ આત્મહત્યા કરી લેતા પોલીસ દોડી આવી

  • મૃતદેહ પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી

  • બાંગ્લાદેશી યુવતીના આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરાય

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં અભ્યાસ કરતી 20 વર્ષીય બાંગ્લાદેશી યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસારગત 2024 સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશથી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં અભ્યાસ અર્થે આવેલી 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આ યુવતી વડોદરાની નવરંગ ટોકીઝની પાછળ નર્મદા એપાર્ટમેન્ટમાં પીજીમાં રહેતી હતી. હાલમાં તેની પરીક્ષા ચાલી રહી હતી. પરંતુ તે પરીક્ષા આપવા પહોચી નહોતીઅને તેણીએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ મૃત્દહના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કેપોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. જોકેસુસાઇડ નોટમાં કોઈપણ પ્રકારનો આક્ષેપ કેદબાણનો ઉલ્લેખ નથીત્યારે હાલ તો બાંગ્લાદેશી યુવતીએ આત્મહત્યા કરતા બન્ને દેશોના એમ્બેસીના અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છેઅને ત્યારબાદ અંતિમ ક્રિયા કેવી રીતે કરવી તેનો નિર્ણય લેવામાં આવશે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.