વડોદરા: શહેરમાં મગરનો સિલસિલો યથાવત, વિશ્વામિત્રી નદીમાં 441 મગર હોવાનો અંદાજ

વડોદરા શહેર અને જિલ્લામાં મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સંતોષનગરમાં ઘરના ઓટલા પર એક મગર આવીને બેસી ગયો હતો

New Update

વડોદરા શહેરનામધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને મગરોના આશ્રય સ્થાન તરીકેનીઓળખ પણ મળી છે,શહેરમાં આવેલા પૂર બાદ હજી પણ મગરનો ભય શહેરવાસીઓ માંથી દૂર થતો નથી,કારણ કેહજુ પણ મગરનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

વડોદરા શહેર અને જિલ્લામાં મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સંતોષનગરમાં ઘરના ઓટલા પર એક મગર આવીને બેસી ગયો હતો,જેથી પરિવાર ગભરાઈ ગયો હતો અને આસપાસના લોકોના ટોળા મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા. સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમ અને વન વિભાગની ટીમે મળીને ફૂટના મગરનેરેસ્ક્યુ કર્યો હતો.બીજી તરફ વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ખાતેથી ફૂટના મગરને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો.

જાણવા મળ્યા મુજબ વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં50 મગરો હતા. જો કે આજે વિશ્વામિત્રી નદીમાં441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવઢાઢરનર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલહજાર કરતાં વધુ મગરો છે.મગર શિડ્યુલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી60 થી70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઉઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઈ નદીમાં કપડા કે વાસણ ધોતા હોય અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.