વડોદરા: શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઉતરતા મગરનું સંકટ ઘેરાયું,મગર,સાપ અને કાચબાનું કરાયું રેસ્ક્યુ

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ ભારે તારાજી સર્જી દીધી છે,અને એક તરફ પૂરની આફત હતી,તો બીજી તરફ મગરનું સંકટ શહેરવાસીઓ માટે જીવ પર જોખમ રૂપ બની ગયું

New Update
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ ભારે તારાજી સર્જી દીધી છે,અને એક તરફ પૂરની આફત હતી,તો બીજી તરફ મગરનું સંકટ શહેરવાસીઓ માટે જીવ પર જોખમ રૂપ બની ગયું હતું.જાણવા મળ્યા મુજબ અત્યાર સુધીમાં 21 મગર,80 સાપ તેમજ 20 કાચબાનું શહેર માંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

અત્યાર સુધીમાં 21 મગર,80 સાપ તેમજ 20 કાચબાનું શહેર માંથી રેસ્ક્યુ

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના તોફાની પાણીએ સમગ્ર શહેરને જળતરબોળ કરી દીધું છે.અને લોકોના જીવન પર પૂરની માઠી અસર જોવા મળી હતી,પૂરગ્રસ્ત લોકો માટે ઘરની બહાર પાણી અને મગર બંને સંકટ સમાન બની ગયા હતા.જયારે પૂરના પાણી શહેર માંથી ઓસરી જતા મહાકાય મગર શહેરના જાહેર માર્ગો પર જોવા મળી રહ્યા છે.પૂરગ્રસ્ત લોકો ઘરની બહાર જીવના જોખમે નીકળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.વડોદરા શહેરવાસીઓના વન વિભાગને મગર અંગેના સૌથી વધુ કોલ આવ્યા હતા.પૂરના પાણી શહેર માંથી ઉતાર્યા બાદ અત્યાર સુધીમાં 21 મગર,80 સાપ,તેમજ 20 જેટલા કાચબાનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થાને મુક્ત કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.  
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.