વડોદરા-હાલોલ માર્ગ પર એક સાથે 5 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત, કારમાં સવાર દંપત્તિનું કમકમાટીભર્યું મોત…

ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશ ડોડિયા અને તેઓની પત્ની ધર્મિષ્ઠા ડોડિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update

વડોદરા-હાલોલ માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો

જરોદ નજીક 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતમાં ઘટનાસ્થળે દંપત્તિનું મોત નીપજ્યું

અકસ્માતમાં અન્ય 3 લોકો પણ થયા ઇજાગ્રસ્ત

માર્ગ પર 3થી 4 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો

વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે એક સાથે 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ઘટનાસ્થળે જ દંપત્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે રોડ પર 3થી 4 કિમીનો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસારવડોદરા-હાલોલ રોડ પર જરોદ ત્રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા હતા. એકસાથે 5 જેટલા વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઈક્કો કારનો બુકડો બોલી ગયો હતો. હેવી લોડર ટ્રકપાણીનુ ટેન્કરઈકો કારરિક્ષા અને કિયા કાર આમ 5 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશ ડોડિયા અને તેઓની પત્ની ધર્મિષ્ઠા ડોડિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં અન્ય 3 વાહનચાલકોને પણ નાની-મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. આ સાથે જ જરોદ પોલીસફાયર બ્રિગેડ સહિતે બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના પગલે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગતા 4 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.