વડોદરા-હાલોલ માર્ગ પર એક સાથે 5 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત, કારમાં સવાર દંપત્તિનું કમકમાટીભર્યું મોત…

ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશ ડોડિયા અને તેઓની પત્ની ધર્મિષ્ઠા ડોડિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update

વડોદરા-હાલોલ માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો

જરોદ નજીક 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતમાં ઘટનાસ્થળે દંપત્તિનું મોત નીપજ્યું

અકસ્માતમાં અન્ય 3 લોકો પણ થયા ઇજાગ્રસ્ત

માર્ગ પર 3થી 4 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો

 વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે એક સાથે 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ઘટનાસ્થળે જ દંપત્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે રોડ પર 3થી 4 કિમીનો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસારવડોદરા-હાલોલ રોડ પર જરોદ ત્રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા હતા. એકસાથે 5 જેટલા વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઈક્કો કારનો બુકડો બોલી ગયો હતો. હેવી લોડર ટ્રકપાણીનુ ટેન્કરઈકો કારરિક્ષા અને કિયા કાર આમ 5 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશ ડોડિયા અને તેઓની પત્ની ધર્મિષ્ઠા ડોડિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં અન્ય 3 વાહનચાલકોને પણ નાની-મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. આ સાથે જ જરોદ પોલીસફાયર બ્રિગેડ સહિતે બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના પગલે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગતા 4 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.