અમદાવાદ-સુરત NH-48 પર વડોદરા નજીક ભારે ટ્રાફિકજામ, 3 કિમી લાંબી કતારોમાં અનેક વાહનચાલકો અટવાયા...

3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે. જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા

New Update
અમદાવાદ-સુરત NH-48 પર વડોદરા નજીક ભારે ટ્રાફિકજામ, 3 કિમી લાંબી કતારોમાં અનેક વાહનચાલકો અટવાયા...

વડોદરાના જાંબુવા બ્રિજ નજીક લાગ્યા વાહનોના થપ્પા

અમદાવાદ-સુરત NH-48 પર સર્જાયો ભારે ટ્રાફિક જામ

વહેલી સવારથી ટ્રાફિક જામ થતાં અનેક લોકો અટવાયા

જાંબુવા નજીક રહેતા સ્થાનિકોએ પણ પોકાર્યો ત્રાહિમામ

ટ્રાફિકજામથી ત્રસ્ત વાહનચાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ પાસે હાઇવે પર ગાબડાં પડી જતાં વહેલી સવારથી જ ભારે ટ્રાફિકજામ થયો છે. અવારનવાર આ પ્રકારે ટ્રાફિકજામ થતાં અનેક વાહનચાલકો જ નહીં પરંતુ આસપાસમાં રહેતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઊઠયા છે...

વડોદરા નજીક નેશનલ હાઇવે પર વહેલી સવારથી 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે. જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા. અવારનવાર ટ્રાફિક જામ થતાં વાહનચાલકો પરેશાન થાય છે, અને ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. કોઈને હોસ્પિટલ, તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો બહાર નીકળતા હોય છે. પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. જોકે, ગતરોજની જેમ જ આજે સવારે પણ ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી છે, ત્યારે ટ્રાફિકજામ થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે...

અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને મુશ્કેલી પડી રહી છે. કારણ કે, એક તરફની લેનમાં ભારે ટ્રાફિક જામ થયો છે, જેને કારણે વાહનોની વણજાર લાગી રહી છે. જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી, અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે...

આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે, ત્યારે અવારનવાર થતાં ટ્રાફિકજામથી ત્રસ્ત વાહનચાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો....

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.