ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ : વડોદરામાં ગૃહ રાજ્યમંત્રીએ સંકલન બેઠક યોજી, સુરત-ભરૂચ સહિતના જિલ્લામાં નિરીક્ષકોના ધામા...

વડોદરા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ માટે મુરતિયા શોધવાની મથામણ ચાલી રહી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા ભાજપ સાથે સંકલન બેઠક કરી

New Update
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ

  • વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી સંકલન બેઠક

  • સુરત અને ભરૂચ સહિતના જિલ્લામાં નિરીક્ષકોએ ધામા નાખ્યા

  • વહેલી સવારથી ભાજપ કાર્યાલયે મુરતિયાઓની હરોળ લાગી

  • અનેક સિનિયર નેતાઓ પણ ફોર્મ ભારે તેવી ચર્ચાએ જોર પકડ્યું

Advertisment

 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વડોદરા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ લેવાની પ્રક્રિયા અગાઉ ભાજપના આગેવાનો સાથે બેઠક યોજાય હતીજ્યારે આજરોજ સુરત અને ભરૂચ સહિતના અન્ય જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા માટે ભાજપના નિરીક્ષકોએ ધામા નાખ્યા હતા.

વડોદરા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ લેવાની પ્રક્રિયા અગાઉ ગત તા. 3 ડિસેમ્બરના રોજ રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી દ્વારા જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ માટે મુરતિયા શોધવાની મથામણ ચાલી રહી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા ભાજપ સાથે સંકલન બેઠક કરી હતી.

જેમાં જિલ્લાના 5 પૈકી 4 ધારાસભ્ય હાજર રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પ્રમુખ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જાણવા મળ્યા મુજબ આ બેઠકમાં પ્રમુખને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જોકેઆગેવાનો આ બેઠક ઔપચારિક બેઠક હોવાનું જણાવી રહ્યા હતાઅને આવી બેઠકો રૂટીન મળતી હોય છેતે જ પ્રકારની આ બેઠક છે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કેવડોદરા શહેર તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ માટે ભારે લોબિંગ ચાલી રહ્યું છેત્યારે તે પહેલા ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રીની બેઠક યોજાયા ભારે ચર્ચા જાગી છે.

 સુરતમાં ભાજપના નવા સુકાની માટે આજરોજ નિરીક્ષક રાકેશ શાહરમેશ ઉકાણીકુલદીપસિંહ સોલંકી અને પંકજ દેસાઈ સુરતમાં દાવેદારોની રજૂઆત સાંભળી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં સૌરાષ્ટ્રવાસી એવા પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાપૂર્વ મેયર જગદીશ પટેલપૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીવર્તમાન શહેર સંગઠનના મહામંત્રી પદેથી રાજીનામું આપી ચૂકેલા લલિત વેકરીયાસંગઠનની કામગીરીનો અનુભવ ધરાવનાર બાબુ જીરાવાલા ભાજપના શહેર અધ્યક્ષ પદે દાવેદારી નોંધાવે તેવી શક્યતા વર્તાય રહી છે.

Advertisment

સુરતી ચેહરા કેજે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે તેમાં પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહપૂર્વસ્થાયી સમિતિ અધ્યક્ષ અનીલ ગોપલાણીભાજપના પ્રદેશ અધ્યક્ષના અંગત વિશ્વાસુપૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલપૂર્વ મેયર હેમાલી બોઘાવાલાડ્રેનેજ સમિતિ ચેરમેન કેયુર ચપટવાલાનું નામ પણ ચર્ચામાં રહ્યું છે. તો બીજી તરફભાજપના વર્તમાન શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ ફરી એક વખત નવી ટર્મ માટે મેદાનમાં ઉતરી શકે છે.

તો આ તરફભરૂચમાં પણ વિવિધ મંડળોના પ્રમુખોની જાહેરાત બાદ હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં સુરતના પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શનિવારે સવારથી બપોર સુધી પ્રમુખપદ માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબજિલ્લા ભાજપ પ્રમુખ માટે 22 જેટલા મુરતિયાઓ ફોર્મ ભરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેગત રવિવારે ભરૂચમાં માઁ રેવા કમલમ કાર્યાલયના ભૂમિપૂજન માટે આવેલાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ ભરૂચમાં જિલ્લા ભાજપ પ્રમુખ રીપીટ થાય તે તરફ અંગુલિ નિર્દેશ કર્યો હતો. તો બીજી તરફચાલુ વર્ષે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પહેરવા માટે અનેક સિનિયર નેતાઓ પણ થનગની રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisment
Read the Next Article

વડોદરા : મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બે મહિલાઓનો હોબાળો,પોલીસે મહિલાઓ સહિત તેમના પતિને કર્યા ડિટેઇન

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં બે મહિલાઓએ હોબાળો કર્યો હતો.અને સીએમને કોઈ મળવા નથી દેતા તેવી રજૂઆત કરી હતી.

New Update
  • સીએમના કાર્યક્રમમાં થયો હોબાળો

  • બે મહિલાઓએ સીએમને કરી રજૂઆત

  • હરણી બોટકાંડની બે મહિલાઓએ મચાવ્યો હોબાળો

  • મુખ્યમંત્રીએ મહિલાઓને કાર્યક્રમ બાદ મળ્યા

  • પોલીસે મહિલાઓ સહિત તેમના પતિને કર્યા ડિટેઇન 

Advertisment

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં બે મહિલાઓએ હોબાળો કર્યો હતો.અને સીએમને કોઈ મળવા નથી દેતા તેવી રજૂઆત કરી હતી. મહિલાઓની રજૂઆત સામે CMએ કાર્યક્રમ પછી મળવા અંગે જણાવ્યું હતું.

વડોદરાના દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી દ્વારા રૂપિયા  1,156 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા,ત્યાં અચાનક જ હરણી બોટકાંડની બે મહિલા બોલવા માંડી હતી કે દોઢ વર્ષથી મળવા માંગીએ છીએકોઈ મળવા દેતું નથી.

ત્યારબાદ મુખ્ય પ્રધાને કહ્યુંતમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યા છોમને મળીને જ જજો.આવાસ યોજનાના મકાન ન ફાળવવા બાબતે સંધ્યા નિઝામા અને સરલા શિંદેએ ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.

મુખ્ય પ્રધાનનું સંબોધન પૂર્ણ થતાં બંને મહિલા ફરી ઉભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતા પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી. બાદમાં મુખ્ય પ્રધાને બંને મહિલાને મળવા બોલાવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા.

વિવાદ બાદ કલ્પેશ નિઝામાએ જણાવ્યું કેમારા પત્નીને ડિટેઇન કરવામાં આવ્યા હતા. અમે બાળકોને ગુમાવ્યા છે એટલે અમે ગુનેગાર છીએ. અમારી વાત કોઈ સાંભળતું નથી. અમને નજરકેદ કરવામાં આવે છેશું અમે આતંકવાદી છીએગુનેગાર છીએપોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી.

આ પહેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત રિવ્યુ બેઠક કરી હતી. બેઠક બાદ મંગલપાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે મુખ્ય પ્રધાને વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.

Advertisment